આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ અને બિહાર સીએમ નીતિશ કુમાર એકીસાથે ઘેર જઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યાં હતા.
લાલુપ્રસાદ અને સીએમ નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યાં
10 જનપથ જઈને સોનિયા ગાંધીને મળ્યાં
2024ની લોકસભાની ચૂંટણીની કરી ચર્ચા
2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ વચ્ચે એક મોટું ગઠબંધન રચાય તેવી સંભાવનાની પહેલી તસવીર જોવા મળી છે. બિહારની સત્તાધારી પાર્ટી આરજેડી અને જેડીયુએના વડાઓએ આ દિશામાં પહેલ શરુ કરી દીધી છે. લાલુ પ્રસાદ યાદવ અને બિહારના સીએમ નીતિશ કુમાર રવિવારે સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાન 10 જનપથ પર પહોંચ્યાં હતા.
Delhi | RJD chief Lalu Prasad Yadav arrives at the residence of Congress interim president Sonia Gandhi pic.twitter.com/wK2rwnp2rm
વર્ષો બાદ લાલુ-નીતિશ સોનિયાને મળ્યાં
ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ લાલુ અને નીતિશ કુમાર એકીસાથે ઘેર જઈને સોનિયા ગાંધીને મળ્યાં છે. ત્રણેય નેતાઓએ ભેગા થઈને 2024ની લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી. ત્રણેય નેતાઓની બેઠક બાદ 2024ની લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન જોવા મળે તો નવાઈ નહીં.
હરિયાણાના ફતેહાબાદમાં વિપક્ષની મોટી શંખનાદ રેલી
હરિયાણાના ફતેહાબાદમાં યોજાયેલી વિપક્ષની રેલીમાં તમામ મોટા નેતાઓ, લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર, શરદ પવાર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. લાલુ અને નીતિશ પણ રેલીમાં આવ્યાં હતા અને રેલી બાદ તેઓ સોનિયા ગાંધીને મળવા આવ્યાં હતા.
Bihar CM Nitish Kumar, RJD chief Lalu Yadav meet Cong president Sonia Gandhi at her residence in Delhi
કોંગ્રેસનો સાથ લઈશું તો જ ભાજપને હરાવી શકીશું
રેલીને સંબોધિત કરતા નીતિશ કુમારે કહ્યું કે, હું કોંગ્રેસ સહિત તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ કરું છું, તો જ તે (ભાજપ) 2024ની લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારશે." "હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ લડાઈ નથી, તેઓ (ભાજપ) અશાંતિ પેદા કરવા માગે છે. હું વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી. ત્રીજા મોરચાનો સવાલ જ નથી, કોંગ્રેસ સાથે મોરચો હોવો જોઈએ, તો જ 2024માં ભાજપને હરાવી શકીશું.