ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 3 ઉમેદવારનો જીતાડવા કોંગ્રેસના ધારાસભ્યોને જીતવા માટે હોર્ષ ટ્રેડિંગ કરાઈ રહ્યુ છે ત્યારે હાલ કોંગ્રેસે હજુરિયા, ખજુરિયા અને જયપુરિયાની જેમ રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યુ છે. પણ આ પોલિટિક્સમાં હાલ સોશિયલ ડિસ્ટન્સિંગનો પડછાયો લાગતા ઝોન વાઈઝ ધારાસભ્યોનો ગૃપ પાડીને તેમને અલગ અલગ રખાઈ રહ્યા છે. મહેસાણા, રાજકોટ, આણંદ સહિત અલગ અલગ રિસોર્ટમાં ધારાસભ્યોને રાખવા માં આવી રહ્યા છે.
ઉત્તરગુજરાતના ધારાસભ્યોને સાંજ સુધી ભેગા કરવામાં આવશે
રાજ્યસભાની બીજી બેઠક માટે કોંગ્રેસની વ્યૂહરચના છે. ધારાસભ્યોને અલગ-અલગ જગ્યા પર એકત્રિત કરાઈ રહ્યા છે મધ્ય ગુજરાતના 10 ધારાસભ્યો આણંદ જિલ્લામાં રિસોર્ટમાં રખાયા જ્યારે
સૌરાષ્ટ્રના 6 ધારાસભ્યો હાલ રાજકોટમાં એકત્રિત કરાયા છે. ઉત્તરગુજરાતના ધારાસભ્યોને સાંજ સુધી ભેગા કરવામાં આવશે. 2-3 દિવસ ધારાસભ્યો ને અલગ અલગ રાખવામાં આવશે. હાઇકમાન્ડ ની સલાહ મુજબ મતદાન સુધી સભ્યોને રાખવા કે કેમ એ નિર્ણય લેવાશે.
તમામ ઝોનના ધારાસભ્યોને એક સાથે રાખવાનો કરાયો નિર્ણય
ઉત્તર ગુજરાતના MLAની સિદ્ધાર્થ પટેલને જવાબદારી સોંપાઈ
મધ્ય ઝોનના MLAની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપાઈ
મધ્ય ગુજરાતના 10 ધારાસભ્યો ઉમેટાના એરિસ રિસોર્ટમાં રોકાયા
દક્ષિણ ગુજરાતના MLAની તુષાર પટેલને જવાબદારી સોંપાઈ
બહુચરાજી ધારાસભ્યના ભાજપ પર આક્ષેપ
ધારાસભ્ય ભરતજી ઠાકોરના જણાવ્યાનુસાર આજે ધારાસભ્યોને મહેસાણા લાવવાના હતા પણ હાલમાં રિસોર્ટ બંધ હોવાથી પાર્ટી જ્યાં કહેશે ત્યાં અમે જઈશું. ભરતજી ઠાકોરના ભાજપ પર આક્ષેપ છે કે, કોંગી ધારાસભ્યોને કરોડોની ઓફર અપાઇ છે. મને પણ ભાજપ દ્વારા ઓફર આપવામાં આવી હતી. પણ અમે વેચાવાના નથી. કરોડોનો ઢગલો કરશે તો પણ અમે કોંગ્રેસ નહીં છોડીએ. ધારાસભ્યોની 20 થી 25 કરોડની ઓફર થઇ છે. અલ્પેશ ઠાકોર અમને આ બાબતમાં કોઈ દબાણ નથી કરતા.
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.