રાજસ્થાનમાં આજે વિધાનસભા ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે પીએમ મોદી આજે રાજસ્થાનના પાલીમાં પહોંચ્યા અને ચૂંટણી રેલીને સંબોધન કર્યું. સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને અગસ્તા વેસ્ટલેન્ડ અંગે કહ્યું કે અગસ્તા વેસ્ટલેન્ડના વચેટિયાને ભારત સરકાર ભારત લઈ આવી છે.
અગસ્તા વેસ્ટલેન્ડનો વચેટિયો નામદારને કમિશન આપતો હતો. હવે આ વચેટિયો બધા રાઝ ખોલશે. તો પીએમ મોદીએ રાજસ્થાનની જનતાને વધુમાં વધુ વોટિંગ કરવાની અપીલ પણ કરી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું નામ લીધા વગર પીએમ મોદી બોલ્યા કે એક ચાવાળાએ નામદારને કોર્ટનો દરવાજો બતાવ્યો છે. હવે જોવું છે કે કેવી રીતે બચે છે મા-દીકરો.
પહેલા તેઓ ચાર પેઢીનો જવાબ આપે અને પછી મારી પાસે ચાર વર્ષનો જવાબ માગે. કોંગ્રેસે અનેક પાપ કર્યા છે. તો શું એ તમારૂ ભલુ કરશે. કોંગ્રેસ માત્ર તમે પણ લૂંટો અને અમે પણ લૂંટીએ એવી રમત રમે છે.