સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ઈડીએ રિયા ચક્રવર્તી સાથે કરેલી પૂછપરછમાં પૈસાની હેરાફેરીને લઈને ઘણાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યાં છે. જેની શરૂઆત સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીથી શરૂ થઈ હતી, જે હવે તેના ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ સુધી પહોંચી ગઈ છે.
સુશાંતના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે
રિયા સાથેની પૂછપરછમાં પૈસાની હેરાફેરીને લઈને ઘણાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યાં છે
સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીથી શરૂ થઈ હતી
આ પૂછપરછમાં રિયાએ ઈડીની ટીમને જણાવ્યું કે માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નામે 2 કરોડ 65 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સુશાંતે તેની મોટી બહેનના નામે સાડા ચાર કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી હતી, પરંતુ રિયાના સુશાંતના જીવનમાં આવ્યા બાદ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે રિયા અને તેના ભાઈની મિલીભગતથી અઢી કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યાં, જેથી માત્ર બે કરોડની જ એફડી રહી.
આ સિવાય પણ સુશાંતની કંપનીથી જોડાયેલ હિસાબ, બેંક ખાતા અને જમા રકમની ગણતરીમાં ઘણા શંકાસ્પદ સંકેત મળ્યા છે, પરંતુ રિયા આ સંદર્ભમાં પ્રશ્નોના જવાબો આપવા માટે સપોર્ટ કરી રહી નથી.
સુશાંતના પિતાએ રિયા પર લગાવ્યો હેરાફેરીનો આરોપ
આ પહેલાં સુશાંતના પિતા કેકે સિંહે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, મારા દિકરાના એક બેંક સ્ટેટમેન્ટથી જાણ થઈ છે કે, તેના એકાઉન્ટમાં 17 કરોડ રૂપિયા હતા. છેલ્લા 1 વર્ષમાં 15 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યાં છે. જે જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યાં તેનાથી મારા દિકરાનો કોઈ સંબંધ નહોતો. મારા દિકરાના તમામ ખાતાની તપાસ કરવામાં આવે. આ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડથી રિયાએ કેટલાક પૈસા તેના પરિવાર અને સાથીઓની સાથે ફ્રોડ કરીને કાઢ્યા છે તેની તપાસ કરવામાં આવે.
સુશાંતના પિતાએ એવું પણ કહ્યું હતું કે, આ મામલે મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી. જેથી બિહારમાં રિયા વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ હતી. સુશાંતના સીએએ તેના નિવેદનમાં કહ્યું કે, રિયાએ પૈસા તો વાપર્યા છે પરંતુ તેણે કોઈ એકાઉન્ટમાં મોટું અમાઉન્ટ ટ્રાન્સફર કર્યું નથી અને એવું પણ કહ્યું કે, સુશાંતની નેટ વર્થ પણ એટલી નથી, જેટલો ફેમિલી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.