જામનગરમાં રવીદ્ર જાડેજાની પત્ની પર હુમલાનો બનાવ દેશભરમાં ચર્ચાના ચગડોળે ચડયો છે. ચારે તરફથી તહોમતદાર પોલીસકર્મીની નિંદા કરવામાં આવી છે.
જ્યારે જામનગર કોર્ટે જ પોલીસ દ્વારા આરોપીની કરાયેલ ધરપકડને યોગ્ય ગણી જામીન મુક્ત કરી દેતા પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થયા છે.
ક્રિકેટર રવિદ્ર જાડેજાના પત્ની રીવાબા પર થયેલ આ પોલીસકર્મીના હુમલા મામલે હવે ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે. ગૃહ વિભાગે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી એક માર્ગદર્શિકા જાહેર કરી છે.
જે માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસકર્મીઓ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરે તો વિઝિટ દરમિયાન ઉપરી અધિકારીઓ પણ જરૂરી માર્ગદર્શન આપે. મહત્વનું છે કે આગામી દિવસોમાં ભાષા પ્રયોગનું મોડેલ બનાવીને પોલીસ દળને પણ જરૂરી તાલીમ આપવામાં આવશે.