અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા લીલા શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. શાકભાજીમાં તોતિંગ ભાવ વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
લીલા શાકભાજી ભાવોમાં દોઢ ગણો વધારો થતાં સામાન્ય પરિવાર માટે શાકભાજી ખાવું દોહલું બન્યું છે. ભીંડા 40 રૂપિયે કિલો મળતા હતા તે અત્યારે 60 રૂપિયે કિલો મળી રહ્યા છે.
આ ઉપરાંત ટીંડોળા 30ના બદલે 60 રૂપિયે દૂધી 20ના બદલે 30 રૂપિયા રીંગણ 10ના સ્થાને 30 રૂપિયે કિલો મળી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે અરવલ્લી જીલામાં દેશી શાકભાજીનું ઉત્પાદન થાય છે પરંતુ અન્ય શાકભાજી નાસિક અને અન્ય રાજ્યોમાંથી આવે છે.
વરસાદ ખેંચવાના કારણે બહારથી આવતા શાકભાજીના ભાવોમાં ભડાકો થયો જેને લઇને હાલ બજારમાં પણ વેપારીઓ ગ્રાહકોની મીટ માડીને બેસી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં વરસાદ હજી પણ ખેંચાશે તો શુ થશે તે જોવાનુ રહ્યુ.