ભારતમાં ઘટી રહેલા કોરોનાની વચ્ચે કેટલાલ રાજ્યો કોરોના પ્રતિબંધો હળવા કરતા વિશ્વ આરોગ્ય સંગઠને એક નવી ચેતવણી આપી છે.
ભારતમાં ઘટી રહેલા કોરોનાની વચ્ચે WHOની મોટી ચેતવણી
કોરોના અનુરુપ વ્યવહાર જાળવી રાખવાની ચેતવણી
દેશમાં કેટલાક રાજ્યો કોરોના પ્રતિબંધો હટાવવા લાગ્યા છે
ભારતમાં કેટલાક શહેરો અને રાજ્યોમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ઘટી રહેલા કોરોના કેસને પગલે કેટલાક રાજ્યો દ્વારા કોરોના પ્રતિબંધો હળવા કરવાનું કામ WHOને પસંદ પડ્યું નથી.સાઉથ-ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું કે, કેસો ઘટી રહ્યાં હોવા છતાં પણ કોવિડ અનુરુપ વ્યવહાર જાળવી રાખવા જોઈએ, તેમણે કહ્યું કે ખતરો હજી પણ યથાવત છે અને આવી સ્થિતિમાં, આપણે પરિસ્થિતિ અનુસાર પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે તાજેતરમાં કેટલાક રાજ્યોએ લોકોને કોવિડ પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે તેમ છતાં પણ પરિસ્થિતિ પ્રમાણે પગલાં ભરવાની જરુર છે.
રાજ્યોમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો પણ જોખમ યથાવત
સાઉથ-ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું કે, ભારતના કેટલાક શહેરો કે રાજ્યોમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય, પરંતુ જોખમ હજુ પણ યથાવત છે. આવી સ્થિતિમાં, ટ્રાન્સમિશન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે કોવિડ -19 નું જોખમ બાકી છે અને કોઈ પણ દેશ, તેમની વર્તમાન સંક્રમણની પરિસ્થિતિ હોવા છતાં, હજી સુધી રોગચાળામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી.
આપણે હજુ મહામારીની વચ્ચે છીએ
પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું, કેટલાક શહેરો કે રાજ્યોમાં કેસોની સંખ્યા ઘટવા લાગી હોય તેમ છતાં પણ જોખમ તો તેની જગ્યાએ યથાવત છે. આપણે સતત સતર્ક રહેવાની જરૂર છે. આપણું ધ્યાન ટ્રાન્સમિશન ઘટાડવા પર હોવું જોઈએ. પરિસ્થિતિ અનુસાર જાહેર આરોગ્ય અને સામાજિક પગલાંનો અમલ કરવો અને રસીકરણના વ્યાપમાં વધારો કરવો. તેમણે ઉમેર્યું હતું કે, "આપણે હજી પણ મહામારીની વચ્ચે છીએ અને વાયરસના ફેલાવાને રોકવા અને લોકોના જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્થાનિક હોવાનો અર્થ એ નથી કે વાયરસ ચિંતાનો વિષય નહીં હોય.
ભારત માટે WHOની નવી ચેતવણી
- ભારતમાં કેસ ઘટતા લાગતા કેટલાક રાજ્યો કોરોના પ્રતિબંધો હળવા કરવા લાગ્યા છે
- કેસોમાં ઘટાડો છતાં જોખમ યથાવત
-રાજ્યોએ કોરોના અનુરુપ વ્યવહાર જાળવી રાખવો જોઈએ
- મહામારી સ્થાનિક બની હોવાનો અર્થ વાયરસ ચિંતાનો વિષય નથી તેવો નથી
આ પાંચ રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે દેશના કેટલાક ભૌગોલિક વિસ્તારોમાં કોવિડના કેસો સ્થિર થવાના પ્રારંભિક સંકેતો મળ્યા છે. પરંતુ આ ટ્રેન્ડ પર ધ્યાન આપવાની જરૂર છે. જે રાજ્યોમાં કોવિડના કેસ અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો જોવા મળ્યો છે તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઓડિશા, હરિયાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, "ઓછા કોવિડ દર્દીઓને ઓક્સિજન બેડ અથવા આઇસીયુ બેડની જરૂર પડે તે માટે સ્પષ્ટ વલણ જોવા મળ્યું છે.