મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં નોકરીની તકો તથા અર્થવ્યવસ્થાને ગતિ આપવાની સાથે જ પોતાની સામાજિક યોજાનાઓને પણ આગળ લઇ જવાની તૈયારીઓ કરી રહી છે. નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ થતાં પહેલા અમેરિકા તથા ઇરાન વચ્ચે વધેલ તણાવે નવું ટેન્શન ઉભું કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાર્મૂઝ જલડમરુમધ્ય ક્ષેત્રમાં પરીસ્થિતી બગડવાની અસર તેલની કિંમત પર પણ પડી શકે છે. અત્યાર સુધી તો તેલની કિંમત સ્થિર રહેલી છે પરંતુ તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન પર હુમલાનો આદેશ આપ્યા બાદ પાછળ હઠના સમાચાર સામે આવ્યા બાદ કાચા તેલની બજાર કિંમતમાં ઉછાળો આવ્યો છે.
સરકારી ખજાના પર પડી શકે બોજ
તેલની કિંમત સ્થિર રહેવાથી સરકાર માચે સ્વચ્છતા, તમામને ઘર, સ્વાસ્થ્ય, વીજળી, ગરીબોને મફતમાં LPG કનેક્શન જેવા પ્રોગ્રામ માટે મોટા ખર્ચ કરવામાં સરળતા રહેશે. જો અમેરિકા અને ઇરાન વચ્ચે જંગ છેડાવાની હાલતમાં ઓઇલ માર્કેટમાં ખળભળાટ જોવા મળી રહી છે. આ સમયગાળામાં તેલના ભાવ વધવાથી સરકારી ખજાના પર બોજ વધી શકે છે.
રેટિંગ એજન્સીના રિપોર્ટ મુજબ, કાચા તેલની કિંમત જો 10 ડોલર પ્રતિ બેરલ વધે છે તો GDP પર તેની 0.4% અસર થાય છે તથા 12 અરબ ડોલરથી પણ વધુ નુકસાન ચાલુ ખાતાને થાય છે. ક્રુડ મોંઘુ થવાથી સરકારનું આયાત બિલ વધશે.
ભારતીય એરલાઇન્સ પર અસર
આપને જણાવી દઇએ કે, ઇરાન દ્વારા અમેરિકન ડ્રોન તોડી પડાયા બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે માહોલ ગરમાયેલો છે. તો અમરિકા તથા ઇરાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર હવાઇ યાત્રાઓ પર પણ પડી રહી છે. આ તણાવની અસર ભારત સુધી પહોંચી છે. તમામ ભારતીય એરલાયન્સે DGCA (Directorate General of Civil Aviation) સાથે ચર્ચા કર્યા બાદ ઇરાનના એરસ્પેસમાં ન જવાનો નિર્ણય લીધો છે.