પેટ્રોલના વધતા ભાવને લઈને નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે વૈશ્વિક બજારમાં પેટ્રોલના ભાવ વધવાથી ભારતમાં પેટ્રોલનો ભાવ વધ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે પેટ્રોલના ભાવ સામે કેન્દ્રએ અને રાજ્ય સરકારે ભેગા મળીને કામ કરવું પડશે.
રાજ્ય સરકાર પણ પેટ્રોલ પર વેટ લગાવે છે : નાણા મંત્રી
પેટ્રોલના વધતા ભાવને લઈને આજે નાણા મંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે પેટ્રોલિની કિંમત આંતરરાષ્ટ્રીય તેલના ભાવો પર નિર્ભર રહેતી હોય છે. જેથી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે મળીને પેટ્રોલના ભાવને લઈ સંભાળવું પડશે.
ભારત 99 ટકા પેટ્રોલ ડિઝલની આયાત કરે છે : નાણા મંત્રી
છત્તીસગઢના રાયપુરમાં ભાજપ કાર્યાલયમાં તેમમે કહ્યું કે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત વૈશ્વિક બજારોમાં જે ભાવ વધ્યા છે. તેના કારણે વધી છે. જેથી તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે ભેગા મળીને આ મુ્દ્દાને સંભાળવો પડશે. વધુંમાં તેમણે કહ્યું કે ભારત તેની જરૂરીયાત પ્રામણે 99 ટકા પેટ્રોલ અને ડિઝલની આયાત કરે છે.
100માંથી 99 લીટર પેટ્રોલ ભારત આયાત કરે છે
નાણા મંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર માત્ર કેન્દ્ર સરકાર ટેક્સ નતી લગાવતી. સાતેજ તેમણે કહ્યું કે આપમે 100 લીટર પેટ્રોલ વાપરીએ છે તો તેમાથી 99 લીટર તો આપણે વિદેશમાંથી આયાત કરવું પડે છે. વિદેશમાં તેલની જે પણ કિંમત હોય છે તેના આધારે ભારતમાં પેટ્રોલની કિંમત નક્કી કરવામાં આવે છે.
રાજ્ય સરકાર પણ વેટ લગાવે છે: નાણામંત્રી
વધુમાં તેમણે કહ્યું કે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ વધેછો તે તેની અસર આપણાને પણ થાય છે. કેન્દ્ર સરકાર પેટ્રોલના ભાવ પર એક નિશ્ચિત ટેક્સ વસુલે છે જ્યારે રાજ્ય સરકાર તેના પર વેટ લગાવે છે. સમગ્ર મામલે નિર્મલા સિતારમણે કહ્યું કે પેટ્રોલના વધતા ભાવને કારમે સામાન્ય નાગરીકોને ભારે તકલીફ પડી રહી છે.
અમુક રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ ભારતમાં પેટ્રોલના ભાવ આસમાને પહોચી ગયા છે. ઘણા બધા રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પાર કરી ગયો છે. જેના કારણે સામાન્ય માણસને ભારે હાલાંકી પડી રહી છે.