સરથાણા વિસ્તારમાં તક્ષશિલા નજીક જાહેરમાં ધોળા દિવસે ચપ્પુના ઘા ઝીંકીને અજાણ્યા શખ્સની હત્યા કરી દેવામાં આવી હતી.
સુરતના સરથાણામાં જાહેર સ્થળ પર અજાણ્યા શખ્સની હત્યા
તક્ષશિલા નજીક ધોળા દિવસે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા
ઈજાગ્રસ્ત શખ્સને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
આણંદના યુવક સિધ્ધાર્થ રાવની સુરતમાં હત્યા કરી દેવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં આણંદના યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. તક્ષશિલા નજીક જાહેરમાં સિદ્ધાર્થ રાવને છરીના ઘા ઝિંકી દેવામાં આવતા કારની ડ્રાયવિંગ સીટ પર જ તે ઢળી પડ્યો હતો. સિદ્ધાર્થ રાવની આણંદ અને વિદ્યાનગરમાં અનેક ગુનામાં સંડોવણી છે. આ ઘટનાને લીધે પોલીસે 3 શકમંદોને પકડીને વધુ કાર્યવાહી હાથધરી છે. સિદ્ધાર્થિ રાવ દિવંગત DySP કીરીટ બ્રહ્મભટ્ટનો દોહીત્ર પણ હતો.
સિદ્ધાર્થ સુરતમાં રૂપિયા લેવા આવ્યો હોવાની માહિતી
સુરતમાં જેની હત્યા થઈ તે, આણંદનો કુખ્યાત સિદ્ધાર્થ રાવ હોવાનું પણ સામે આવ્યું છે. સિદ્ધાર્થ રાવ પર ચપ્પું વડે હુમલો કરી કેટલાક શખ્સો ફરાર થઈ ગયા છે. સમગ્ર ક્રાઈમ ઘટના પાછળ રૂપિયાનો મામલો હોવાનું પણ સામે આવ્યું છે. રૂપિયા લેવા માટે આણંદનો સિદ્ધાર્થ સુરત પહોંચ્યો હતો. જ્યાં અચાનક તેના પર હુમલો થયા બાદ સિદ્ધાર્થને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ સિદ્ધાર્થ પર હુમલાના સ્થળ અને ગાડીની તપાસ કરી હતી.
હત્યા-આત્મહત્યામાં સુરત નંબર વન
શહેર
હત્યા
આત્મહત્યા
લૂંટ
દુષ્કર્મ
સુરત
280
2151
253
465
અમદાવાદ
211
1803
479
620
રાજકોટ
118
1395
56
203
વડોદરા
89
765
75
204
કુલ
698
6114
863
1492
મહત્વનું છે કે, સુરતમાં રોજબરોજ ક્રાઈમની ઘટના સામે આવી રહી છે. તો બીજી તરફ પોલીસ માસ્કના નામે નાણા એકઠા કરવા માટે ઉઘરાણી કરવા તૈયાર છે. સુરતના ધારાસભ્યોએ CM રૂપીણીને પોલીસની કામગીરી અંગે રજૂઆત કરી છે. પોલીસ અને વહીવટી તંત્રની હેરાનગતિ મુદ્દે રજૂઆત કરી છે. માસ્ક બાબતે સુરતીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. મુખ્યમંત્રીની ચેમ્બરમાં રૂબરૂમાં રજૂઆત કરી છે. સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશનરને સૂચના આપી છે. સાથે નરમાઇથી વર્તન કરવા સૂચના આપી છે.