Gujarat Corona Case: રાજ્યમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે, આ વચ્ચે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાને લઈને મોટું નિવેદન આપ્યું છે. જાણો શું કહ્યું...
કોરોના મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
કોરોનાથી હવે કોઈએ ડરવાની જરૂર નથી: આરોગ્ય મંત્રી
કોરોનાની ઘાતકતા ઘટી છે: આરોગ્ય મંત્રી
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા વધઘટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓનો સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 338 પોઝિટિવ કેસ નોંધાયા છે. આવામાં કોરોનાને લઇને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
લોકોએ માસ્ક પહેરવા જોઈએઃ ઋષિકેશ પટેલ
કોરોનાને લઇને ઋષિકેશ પટેલે કહ્યું કે, કોરોનાથી હવે કોઈએ ડરવાની જરૂર નથી. હવે કોરોના જીવનનો એક ભાગ થઇ ગયો છે. કોરોનાની ઘાતકતા ઘટી છે. લોકોએ કોરોનાથી સાવધાની રાખવી જોઈએ, ડરવાની જરૂર નથી. સાથે જ સમયસર હાથ ધોવા અને માસ્ક પહેરવાની આરોગ્ય મંત્રીએ વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોરોના ટેસ્ટિંગમાં વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં 338 કેસ નોંધાયા છે. અમદાવાદમા 92 કેસ તેમજ રોજકોટમાં 44 કેસ, મોરબીમાં 34, સુરતમાં 37, અમરેલીમાં 7 કેસ નોંધાયા છે. આણંદમાં 5, બનાસાકાઠામાં 12 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 5 અને મહેસાણામાં 12 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં 14 અને નવસારીમાં 4 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ભરૂચમાં 8 અને દાહોદમાં 1 કેસ નોંધાયો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 31, 2023
274 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 338 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા નોંધાયો છે. તેમજ 274 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2310 કોરોનાના એક્ટિવ કેસ છે. રાજ્યમાં આજે 274 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.
કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઇઝરી
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
6. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.