ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદી પર બનેલા લક્ષ્મણ ઝુલા (Lakshman Jhula) ને 90 વર્ષમાં પહેલીવાર સામાન્ય યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યો છે. બતાવામાં આવી રહ્યું છે કે બ્રિટિશ કાળમાં બનેલા આ પુલની ખરાબ હાલત દેખતા સાવચેતીના પગલાના ભાગ રૂપે તંત્રે આ આદેશ જાહેર કર્યો છે.
લોક નિર્માણ વિભાગ (PWD) ના એક વિશેષજ્ઞ પેનલે પુલની ક્ષમતા પર રિસર્ચ કરીને સલાહ આપી કે તેને બંધ કરી દેવામાં આવે જેથી સંભવિત ખતરો જોતા તેને સુયોગ્ય બનાવી શકાય. ઋષિકેશ તંત્ર અનુસાર, લક્ષ્મણ ઝુલા પર આમ લોકોના અવરજવર પર અસ્થાઇ રૂપે રોક લગાવી દેવાઇ છે. જલ્દી જ તેને ફરી પાછો શરૂ કરવામાં આવશે.
ઋષિકેશમાં ગંગા નદી પર બનેલા લક્ષ્મણ ઝુલાનું નિર્માણ આઝાદી પહેલા 1929માં થયો હતો. નદીના આ પારથી સામે પાર જવા માટે દુનિયાભરથી આવતા શ્રદ્ધાળુ અને સ્થાનીય લોકો ઉપયોય કરે છે. તંત્રનું કહેવું છે કે આ પુલ પર લોકોની ભારે સંખ્યા વહન કરવાને કારણે તેના પર ઘણો બોઝ પડી રહ્યો છે. એવામાં પુલની ખરાબ હાલત જોતા તંત્રે સુરક્ષાને કારણે તેને બંધ કરવાનો આદેશ આપ્યો છે.