ઋષિ સુનકે બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. જોન્સન આ ફરિફાઈમાંથી બહાર નીકળી ગયા બાદ ફક્ત ઋષિ અને પેની વચ્ચે હરિફાઈ ચાલી રહી હતી.
ઋષિ સુનક બ્રિટનના નવા PM બન્યા
ઋષિ અને પેની વચ્ચે હરિફાઈ ચાલી રહી હતી.
પેની મૉરડોન્સને સામે ઋષિએ મેળવી જીત
ઋષિ સુનકે બ્રિટનના નવા PM બન્યા છે. બ્રિટનના વડાપ્રધાનને લઈ સાફ સાફ પરિણામ આવી ગયા છે. વડાપ્રધાનપદથી લિઝ ટ્રસના રાજીનામા બાદ ઋષિ સુનક અને બોરિસ જૉનસન તેમજ પેની મૉરડોન્સના નામ સામે આવ્યા હતાં. રવિવારે જોન્સન આ ફરિફાઈમાંથી બહાર નીકળી ગયા બાદ ફક્ત ઋષિ સુનક અને પેની વચ્ચે હરિફાઈ ચાલી રહી હતી. જેમાં ઋષિ સુનકેનો વિજય થયો છે.
કોણ છે ઋષિ સુનક?
ઋષિ સુનકના માતા-પિતા પંજાબના રહેવાસી હતા. જેઓ વિદેશમાં સ્થાયી થયા હતા. અને સુનકનો જન્મ બ્રિટનમાં હૈંપશાયરમાં થયો હતો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો છે. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમજ ઋષિ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિનો જમાઈ પણ છે. રાજનીતિમાં જોડાતા પહેલા ઋષિએ ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅન્શ અને હેજ ફંડમાં કામ કર્યું હતું. આ પછી તેણે એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મની પણ સ્થાપના કરી. તેમની માતા ફાર્માસિસ્ટ છે અને નેશનલ હેલ્થ સર્વિસમાં નોકરી કરે છે. સુનકના પિતા ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક સુધી અભ્યાસ કરેલો છે. વર્ષ 2015માં પહેલીવાર સાંસદ બન્યા હતો. 2018માં સ્થાનીય સરકારમાં મંત્રી બન્યા બાદ વર્ષ 2019માં ટ્રેજરીના ચીફ સેક્રેટરી બન્યા હતાં
લિઝ ટ્રસે આપ્યું હતું રાજીનામુ
ભારે દબાણના સામનો કરી રહેલા બ્રિટિશ વડા પ્રધાન લિઝ ટ્રસે 20 ઓક્ટોબરના રોજે રાજીનામાની જાહેરાત કરી હતી. જો કે, આગામી વડાપ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી તે આ પદ પર રહેશે. બ્રિટિશ વડાપ્રધાને તેમના સત્તાવાર નિવાસસ્થાન જણાવ્યું હતું કે, હું સત્તામાં આવ્યો તે વચનો હું પૂરા કરી શક્યો નહીં. તેનો અફસોસ છે.
ઋષિએ બોરિસનો આભાર માન્યો હતો
ઋષિ સુનકે જણાવ્યું કે, બોરિસ જોન્સને બ્રેકિ્સટ અને વેક્સીન રોલ-આઉટ જેવા મહત્વના નિર્ણયો લીધા હતો. તેમણે દેશને સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવામાં મદદ કરી છે. તેમણે જણાવ્યું કે, અમે તેમના આભારી રહીશું. તેમણે પીએમ પદની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો તે બદલ. પરંતુ મને આશા છે કે તેઓ દેશ માટે યોગદાન આપતા રહેશે તેવું જણાવ્યું હતું.