લેખિકા અને ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ હિન્દુત્વવાદી નેતા શંભાજી ભિડેને પગે લાગી રહી છે. આ વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયેલો છે.
સુધા મૂર્તિ હિન્દુત્વવાદી નેતા શંભાજી ભિડેને પગે લાગી રહી છે
વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં છેડાયો વિવાદ
સુધા મૂર્તિ શંભાજી ભિડેને પગે લાગી
આ વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયેલો છે. એક મહિલા પત્રકારને ચાંલ્લો ન લગાવવાની વાત કરવાની ના પાડવાને લઇને પણ શંભાજી ભિડે છેલ્લાં ઘણા દિવસથી ચર્ચામાં ચાલી રહ્યાં છે. આ મામલે શંભાજી ભિડેને મહારાષ્ટ્રના મહિલા આયોગ તરફથી પણ નોટીસ મળી છે. સોશિયલ મીડિયામાં સૂધા મૂર્તિ પગે લાગી રહી હોવાનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે એક પ્રમોશન ઈવેન્ટનો છે. સુધા મૂર્તિ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પોતાની બુકના પ્રમોશન માટે પહોંચી હતી. આ દરમ્યાન તેઓ શંભાજી ભિડેને પણ મળી અને તેમને પગે લાગીને આશીર્વાદ લીધા.
યોજના યાદવની એક ફેસબુક પોસ્ટ વાયરલ થઇ ગઇ
હવે તેના પર વિવાદ છેડાયા બાદ સુધા મૂર્તિના એક સહાયકે કહ્યું કે તે તો જાણતી પણ નહોતી કે શંભાજી ભિડે કોણ છે. તેમણે એક વૃદ્ધને જોયા તો સન્માનની દ્રષ્ટિએ તેમને પગે લાગ્યા. સુધા મૂર્તિના જમાઈ ઋષિ સુનક છે, જે હાલમાં બ્રિટનના વડાપ્રધાન બન્યાં છે. ખરેખર આની પર આ વિવાદ એટલે છેડાયો કારણકે અમુક એકાઉન્ટ્સ પર આ દાવો કરતો વીડિયો શેર કરવામાં આવ્યો છે કે સુધા મૂર્તિ પર દબાણ નાખવામાં આવ્યું હતુ કે તેઓ શંભાજી ભિડે સાથે મુલાકાત કરે. વીડિયો સામે આવ્યાં બાદ મેહતા પબ્લિશિંગ હાઉસની એડિટોરિયલ હેડ યોજના યાદવની એક ફેસબુક પોસ્ટ વાયરલ થઇ ગઇ.
Women of substance Sudha Murthy..!
Mother in law of UK Prime Minister @RishiSunak and wife of Infosys founder Naryan Murthy; Sudha Murthy ji took the blessings of Hindutva activist Sambhaji Bhide (Bhide Guru ji) in Sangli yesterday. pic.twitter.com/c99ijq0SDK
યોજના યાદવે તેની પોસ્ટમાં દાવો કર્યો છે કે પોલીસના કહેવા પર સુધા મૂર્તિએ શંભાજી ભિડે સાથે મુલાકાત કરી હતી. શંભાજી ભિડે અને તેના સમર્થકો આ આયોજનમાં કોઈ પણ આમંત્રણ વગર જ પહોંચ્યા હતા. પરંતુ પોલીસે સુધા મૂર્તિ પાસે આગ્રહ કર્યો કે તેઓ ભિડે સાથે મુલાકાત કરી લે, જે પોતાના સમર્થકો સાથે ઓડિટોરિયમની બહાર રાહ જોઇ રહ્યાં છે. યોજના યાદવે કહ્યું, ભિડેને મળવાનુ દબાણ એટલુ હતુ કે રીડર્સની સાથે પોતાની વાતચીત અધવચ્ચે છોડીને સૂધા મૂર્તિ નિકળી ગઇ હતી.