આજે સવારે અભિનેતા રિશી કપૂરે અંતિમ શ્વાસ લીધા જે બાદ ફિલ્મ જગતને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. બોલિવૂડ જ નહીં સમગ્ર દેશમાં શોકની લાગણી છે. લોકો રિશી કપૂરના સંસ્મરણો યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રિશી કપૂરના જૂના ડાયલોગ અને ટ્વીટ વાયરલ થઇ રહ્યા છે.
સવારે મુંબઈની હોસ્પિટલમાં રિશી કપૂરનું નિધન
રિશી કપૂરના નિધનથી ફિલ્મજગતને આંચકો
રિશી કપૂરના નિધન બાદ સોશિયલ મીડિયામાં તેમના જૂના ટ્વીટ ફરી થયા વાયરલ
સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હતા રિશી કપૂર
રિશી કપૂરના જવાથી ફિલ્મજગતને ખૂબ મોટો આંચકૉ લાગ્યો છે. બોલિવૂડમાં પહેલાં ઈરફાન ખાન અને પછી રિશી કપૂરના અવસાનથી ક્યારેય પૂરાઈ ન શકે તેવી ખોટ પડી છે. રિશી કપૂર ખૂબ નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા હતા. તથા સોશિયલ મીડિયામાં તેમની ટ્વીટ ખૂબ ચર્ચામાં રહેતી હતી. કેટલીક વાર તો તેમની ટ્વીટથી મોટા મોટા વિવાદો પણ સર્જાયા હતા.
કનિકા કપૂર અને રાણા કપૂર પર કર્યો હતો કટાક્ષ
ત્યારે આજે તેમના નિધન બાદ તેમની આવી જ અમુક ટ્વીટ ફરીથી વાયરલ થઇ રહી છે. ગયા મહીને જ્યારે કનિકા કપૂરને કોરોના વાયરસ સંક્રમણ થયું હતું તથા યસ બેંકના રાણા કપૂર પણ આરોપોથી ઘેરાયેલા હતા ત્યારે રિશી કપૂરે બંને પર કટાક્ષ કરતી એક ટ્વીટ કરી જેમાં તેમણે કહ્યું હતું કે 'આજકાલ અમુક કપૂરોનો સમય ખરાબ ચાલી રહ્યો છે. ડર લાગે છે. હે માલિક બીજા કપૂરોની રક્ષા કરજે.' આજ ટ્વીટમાં રિશી કપૂર ભગવાનને પ્રાર્થના કરે છે તેમનાથી ક્યારેય કોઈ ખોટું કામ નાં થાય.
છેલ્લી ટ્વીટમાં લોકોને કરી હતી ખાસ અપીલ
જોકે છેલ્લાં ઘણા સમયથી તેઓ સોશિયલ મીડિયાથી દૂર હતા. બીજી એપ્રિલે તેમણે છેલ્લી ટ્વીટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તમામ ભાઈ-બહેનોને અપીલ કરું છું કે મહેરબાની કરીને હિંસા, પથ્થમારો કે હત્યાની મદદ ના લેશો. ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પોલીસ તમામ તમને બચાવવા માટ પોતાનું જીવન જોખમમાં મૂકે છે. આપણે ભેગા મળીને કોરોનાવાઈરસ સામેનું યુદ્ધ જીતવાનું છે. પ્લીઝ, જયહિંદ.
રિશી કપૂરના નિધન બાદ પત્નીએ શેર કરી ભાવનાત્મક પોસ્ટ
રિશી કપૂરની પત્ની અને અભિનેત્રી નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ રિશી કપૂરના નિધન બાદ કપૂર પરિવારનું ઔપચારિક નિવેદન માનવામાં આવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે- અમારા નજીકના મિત્ર રિશી કપૂરનું આજે સવારે 8.45 વાગ્યે અવસાન થયું છે. છેલ્લા બે વર્ષથી તે લ્યુકેમિયાથી પીડિત હતા. હોસ્પિટલમાં, ડોક્ટરે છેલ્લી ક્ષણ સુધી તેને બચાવવા માટે પ્રયત્નશીલ પ્રયાસો કર્યા. ઋષિ છેલ્લા બે વર્ષથી પોતાને મજબૂત રાખતા હતા. તે જીવંતતાથી જીવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કુટુંબ, મિત્રો અને ફિલ્મ હંમેશા તેના ધ્યાનમાં રહેતી હતી. તેમને જે કંઈ પણ મળ્યું તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો કે આ રોગની વચ્ચે પણ તે ખુશ હતો અને તેની માંદગીને તેના પર કદી વર્ચસ્વ ન થવા દીધો. તે ખૂબ જ ખુશ છે તે તેના ચાહકો તેને ખૂબ પ્રેમ કરે છે. તમે બધા જાણો છો કે ઋષિની મનોકામના છે તેમને દરેક વ્યક્તિ આંસુ સાથે નહીં પણ એક સ્માઈલ સાથે વિદાય આપે.