વર્ષ 2012માં રેપનો શિકાર થયેલી નિર્ભયાને આજે ન્યાન મળી ગયો. નિર્ભયાના ચારેય આરોપીઓને સજા મળી ગઈ. શુક્રવારે સવારે 5.30 વાગ્યે તેમને ફાંસી આપી દેવામાં આવી છે. નિર્ભયાને ન્યાય મળવા પર બોલિવૂડે પણ રાહતનો શ્વાસ લીધો છે. બધાં જ સ્ટાર્સ આરોપીઓની ફાંસી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ત્યારે પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે પણ કરી આ વાત.
ઋષિ કપૂરે લખ્યું- નિર્ભયાને ન્યાય મળી ગયો. 'જૈસી કરની વૈસી ભરની'. આને ન માત્ર ભારતમાં પણ સમગ્ર દુનિયામાં ઉદાહરણ તરીકે સેટ કરવું જોઈએ. રેપની સજા મૌત. તમારે મહિલાઓને માન આપવું પડશે. એવા લોકોને શરમ આવવી જોઈએ, જે લોકોએ આ કામમાં આટલો વિલંબ કર્યો. જય હિંદ. ઉલ્લેખનીય છે કે, ઋષિ કપૂર એવા અભિનેતા છે જેઓ દરેક મુદ્દા પર બેબાકીથી નિવેદનો આપે છે.
Nirbhaya Justice. “Jaisi karni waisi bharni” Let this set an example not only in India but world over. Punishment for rape is by death. You have to respect womanhood. Shame on the people who delayed the execution. Jai Hind! pic.twitter.com/ENyjTxwlMI
તમને જણાવી દઈએ કે, સાત વર્ષ ત્રણ મહિના અને ત્રણ દિવસ પહેલાં એટલે કે, 16 ડિસેમ્બર 2012એ દેશની રાજધાનીમાં થયેલી આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયું હતું. યુવાનો અને લોકો ન્યાય માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ત્યારે નિર્ભયાની માતા પણ લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહી હતી. હવે જ્યારે નિર્ભયાના દોષીઓને ફાંસીના માચડે ચઢાવી દેવાયા છે ત્યારે એવી જાહેરાત કરાઈ છે કે, 20 માર્ચનો દિવસ નિર્ભયા દિવસ રીતે ઉજવવામાં આવે છે.