લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમ્યા બાદ બોલિવૂડ સ્ટાર ઋષિ કપૂરનું 30 એપ્રિલે સવારે 8.45 વાગે નિધન થયું હતું. જોકે, તેમના નિધન બાદ એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ઋષિ કપૂરના અંતિમ પળોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેથી શુક્રવારે હોસ્પિટલના મેનેજમેન્ટે એક નિવેદન જારી કર્યું છે અને કહ્યું- અભિનેતાનો વીડિયો લીક થવા અને તે સર્ક્યુલેટ થવા મામલે તપાસ કરીશું.
લાંબા સમય સુધી કેન્સરથી લડ્યા બાદ 30 એપ્રિલે ઋષિ કપૂરનું નિધન થયું હતું
હાલ સોશિયલ મીડિયા પર તેમના અંતિમ પળોનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
ત્યારે હોસ્પિટલને ફટકારાઈ લીગલ નોટિસ
હોસ્પિટલના સત્તાવાર ફેસબુક પેજ પરની એક પોસ્ટમાં લખ્યું છે, 'સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના મેનેજમેન્ટનો સંદેશ. આજીવન સન્માન. અમને માહિતી મળી છે કે, અમારા એક દર્દીનો વીડિયો ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દર્દીની ગોપનીયતા ખૂબ જ મહત્વ ધરાવે છે અને અમે આવા પ્રકારની હરકતની વિરૂદ્ધ છીએ. હોસ્પિટલ મેનેજમેન્ટ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
@fwice_mum raises protest over viral video of #RishiKapoor ji in ICU at HN hospital.The video is unethical -without permission &violates fundamental right to live with dignity-privacy of a legend who lived a glorious & dignified life& loved ,regarded , held in high esteem by all. pic.twitter.com/zvQA0w9t9e
તમને જણાવી દઈએ કે, ગુરૂવારે ઋષિ કપૂરનું નિધન થયું હતું. જે બાદ તેમના અંતિમ ક્ષણોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. એક અન્ય વીડિયોમાં પુજારી સાથે રણબીર કપૂર જોવા મળી રહ્યો છે. જેમાં તે હોસ્પિટલમાં બેડ પર રહેલાં તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છે અને પૂજા વિધિ કરી રહ્યો છે. જ્યારે અન્ય એક વીડિયોમાં ઋષિનું શબ હોસ્પિટલમાંથી સ્ટ્રેચર પર બહાર લાવવામાં આવે છે અને તેને શબવાહિનીમાં મૂકવામાં આવે છે. આ પ્રકારના ઘણાં વીડિયો વાયરલ થતાં હોસ્પિટલના મેનેજમેન્ટ પર સવાલ ઊભા થઈ રહ્યાં છે.