ઋષિ કપૂરે રણબીર - આલિયાનાં લગ્નનું સપનું જોયું હતું. પહેલા આ લગ્ન 2020માં જ થવાના હતા. જાણો ક્યા કારણોસર લગ્ન 2020માં થઇ ન શક્યા
રણબીર-આલિયાનાં લગ્નનું રિશી કપૂરનું સપનું
2020માં જ થવાના હતા લગ્ન
સુભાષ ઘાઈ સાથે રિશી કપૂરે શેર કરી હતી આ વાત
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ હવે આખરે લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ઘરનાં શણગારથી લઈને આઉટફિટ સુધીની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો પેન્ડેમિક ન આવ્યું હોત, તો લગ્ન 2020માં જ થઈ ચુક્યા હોત. હવે એક સમાચાર સામે આવ્યા છે કે રણબીર અને આલિયાનાં લગ્ન ખરેખર 2020માં જ પ્લાન કરવામાં આવ્યા હતા અને રણબીર કપૂરનાં પિતા રિશી કપૂર આ વાતથી ખૂબ જ ખુશ હતા. રિશી કપૂર કેંસર સામે લડી રહ્યા હતા અને પોતાના પુત્રનાં લગ્ન જોવા માંગતા હતા.
સુભાષ ઘાઈને કરી હતી આ દિલની વાત
ફિલ્મમેકર સુભાષ ઘાઈએ એ વાતોને યાદ કરતા જણાવ્યું કે લગ્ન ડિસેમ્બર 2020માં જ થવાના હતા, પરંતુ પછી 30 એપ્રિલનાં રોજ રિશી કપૂર આ દુનિયાને અલવિદા કહી ગયા. સુભાષ ઘાઈએ જણાવ્યું કે મને યાદ છે કે જાન્યુઆરી 2020માં રિશી કપૂરને હું તેમના ઘરે મળવા ગયો હતો, જેથી Whistling Woods Internationalનાં વાર્ષિક કોનવોકેશનમાં તેમને WWI Maestro award 2020 લેવા માટે ઇનવાઈટ કરી શકું.
લગ્નને લઈને ઉત્સુક હતા રિશી કપૂર
શુભાઈ ઘાઈએ કહ્યું કે અમારી સારા મિત્રોની જેમ લાંબી વાતચીત થતી હતી. તેઓ મારી સાથે આ વાત શેર કરતા ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા કે ડિસેમ્બર 2020માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન પ્લાન કરી રહ્યા છે. જોકે તેઓ આપણને અત્યંત તકલીફમાં છોડીને તે પહેલા જ ચાલ્યા ગયા. શુભાશે આગળ કહ્યું કે જ્યારે રણબીર આલિયાનાં લગ્ન થશે, ત્યારે રિશી કપૂરનું સપનું પૂરું થઇ જશે.
હવે પૂરું થશે રિશી કપૂરનું સપનું
સુભાષ ઘાઈએ જણાવ્યું કે રણબીર અને આલિયા આખરે તેમનું સપનું પૂરું કરી રહ્યા છે. હું પ્રાર્થના કરું છું કે તેમને એક ખુશાલ જીવન મળે, મેં રિશી કપૂર અને નીતૂ કપૂર માટે પણ હંમેશા આ જ પ્રાર્થના કરી છે. જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ક્રીન પર પહેલી વાર એકસાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન જ બંનેએ ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું.