બોલિવુડના જાણીતા ફિલ્મ મેકર રાહુલ રવૈલે પોતાની ફેસબુક પોસ્ટમાં ઋષિ કપૂરના સ્વાસ્થ્ય માટે જોડાયેલી નવી અપડેટ શૅર કરી છે, તેમણે ઋષિ કપૂર સાથે જૂની ફોટો શૅર કરતા લખ્યુ કે, ઋષિ કપૂર (ચિન્ટૂ) કેન્સર ફ્રી છે. આ પહેલી પોસ્ટ કે નિવેદન નથી જ્યારે ઋષિ કપૂરની બિમારી વિશે જાણકારી અપાઇ હોય. જોકે અત્યાર સુધી ઋષિ કપૂરના એક્ટરની બિમારીની જાણકારી આપી નથી. આ પહેલા રણધીર કપૂરે એવી રિપોર્ટસનું ખંડન કર્યુ હતુ જેમાં ઋષિ કપૂરના કેન્સર હોવાની વાત કરાઇ હતી.
જણાવી દઇએ કે, ઋષિ કપૂરે પાછલા વર્ષે 29 સપ્ટેમ્બરે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે અમેરિકામાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે જઇ રહ્યા છે. પરંતુ તેમણે કઇ બિમારી થઇ છે તેની કોઇ જાણકારી એક્ટર કે તેમના પરિવારને આપી ન હતી. જ્યારથી ઋષિ કપૂર ન્યૂયોર્ક ગયા છે તેમની પત્ની નીતૂ કપૂર તેમની સાથે છે. રણબીર કપૂર પણ પિતાના સ્વાસ્થ્યની હાલચાલ જાણવા ન્યૂયોર્ક જતો રહે છે.
ઋષિ કપૂરની બીમારીની ગંભીરતનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે પાછલા વર્ષે પોતાની માતા કૃષ્ણા રાજ કપૂરનું નિધન થયા પછી તેઓ ભારત પરત આવ્યા ન હતા. ન્યૂયોર્કમાં ઋષિ કપૂરની ખબર અંતર જાણવા માટે બોલિવુડ સ્ટાર્સ ઘણીવખત તેમની મુલાકાત લેતા હોય છે.