દિગ્ગજ બોલિવૂડ અભિનેતા જ્યારે આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે તેમની સાથે હિન્દી સિનેમાનો એક યુગ પણ પૂરો થઈ ગયો. 2 વર્ષ સુધી કેન્સર જેવી ઘાતક બીમારી સામે લડ્યા બાદ 30 એપ્રિલે ઋષિ કપૂરનું નિધન થયું હતું. તેમણે એક વર્ષ સુધી ન્યૂયોર્કમાં ઈલાજ પણ કરાવ્યું હતું. તેમ છતાં તેઓ આ બીમારી સામે જંગ હારી ગયા. ત્યારે મંગળવારે ઋષિ કપૂરના નિવાસ સ્થાને તેમના તેરમાની વિધિ રાખવામાં આવી હતી. જેમાં પરિવાર સહિત આ લોકો પણ સામેલ થયા હતા.
બોલિવૂડના સદાબહાર એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલે નિધન થયું હતું
તેરમાની વિધિમાં પરિવારના સભ્યો સહિત ત્યાં હાજર તમામ લોકોએ એકસાથે ઋષિ કપૂરની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. રણબીર કપૂર ગર્લફ્રેન્ડ આલિયા સાથે પિતાની તેરમાની વિધિમાં પહોંચ્યો હતો. રણબીર કપૂર પોતે ડ્રાઈવ કરી રહ્યો હતો અને આલિયા ભટ્ટ તેની બાજુમાં બેઠેલી જોવા મળી રહી છે.
રણબીર અને આલિયાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સાથે જ તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરની તેરમાની વિધિમાં તેમની પત્ની નીતુ કપૂર, દીકરી રિદ્ધિમા કપૂર સહાની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, આદર જૈન, અરમાન જૈન, રીમા જૈન, અનીષા મલ્હોત્રા, રણધીર કપૂર, બબીતા, શ્વેતા બચ્ચન નંદા અને તેની દીકરી નવ્યા નંદા પણ હાજર રહ્યાં હતા.
ઋષિ કપૂર દિકરા રણબીરના લગ્ન જોવા માંગતા હતા પરંતુ આ પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. ઋષિ કપૂરે પોતે એક ઈન્ટરવ્યૂમાં રણબીરના લગ્ન જોવાની અને પૌત્ર-પૌત્રીને રમાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
તમને જણાવી જઈએ કે, ઋષિ કપૂરે ન્યૂયોર્કમાં એક વર્ષ સુધી ઈલાજ કરાવ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત આવ્યા હતા. પછી ફેબ્રુઆરીમાં તેમને બેવાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં પડ્યા હતા. ત્યારબાદ 29 એપ્રિલે તેમની તબિયત વધુ બગડતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા અને 30 એપ્રિલે તેમનું નિધન થઈ ગયું.