બોલિવૂડના વેટરન એક્ટર ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું છે. 30 એપ્રિલ 2020ના રોજ કેન્સરને કારણે તેમનું નિધન થયું હતું. આ સમાચાર સાંભળીને બોલિવૂડને ખૂબ જ આઘાત લાગ્યો હતો. ત્યારે ઋષિ કપૂરના મિત્ર રાજ બંસલને પણ ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેમણે ઋષિ કપૂરના નિધન બાદ ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ તેમના આંસુ રોકી નથી શકી રહ્યાં. તેમણે મોટો ભાઈ અને મિત્ર ગુમાવી દીધો છે.
દિગ્ગજ એક્ટર ઋષિના નિધનથી પરિવાર જ નહીં તેમના મિત્ર પણ આઘાતમાં
ઋષિના નિધન બાદ મિત્રએ જણાવી આ વાત
સોશિયલ મીડિયા પર વાયરલ થયું ટ્વિટ
ઋષિ કપૂરને કેન્સર હોવાની વાત લાંબા સમય સુધી છુપાયેલી રહી હતી અને છેલ્લા દિવસોમાં જ આ વાત મીડિયાની સામે આવી હતી કે ઋષિ કપૂરને લ્યૂકેમિયા એટલે કે બ્લડ કેન્સર હતું. ત્યારે ઋષિ કપૂરના મિત્ર અને રાજસ્થાન ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂટર રાજ બંસલે ઋષિ કપૂરના દિલનું દર્દ જણાવ્યું હતું. રાજ બંસલે જણાવ્યું કે, કઈ રીતે કેન્સર વિશે વાત કરતાં-કરતાં ઋષિ કપૂર ધ્રૂસકેને ધ્રૂસકે રહી પડ્યા હતા અને તેમનું હૃદય ભરાઈ ગયું હતું.
Tears roll down while I write. I have lost my dear friend who was like an elder brother to me. #RishiKapoor
એક ઈન્ટરવ્યૂ દરમિયાન રાજે કહ્યું-તેમને 2018માં કેન્સર હોવાની વાત ખબર પડી હતી પરંતુ આ વિશે પરિવાર સિવાય કોઈને ખબર નહોતી. આ સપ્ટેમ્બર 2018ની વાત છે. ઋષિ ઈલાજ માટે અમેરિકા જવાના હતા. તેમણે એ જ દિવસે મારી સાથે ફોન પર વાત કરી. તેઓ મને પ્રેમથી ઠાકુર બોલાવતા હતા. મેં ફોન ઉપાડ્યો તો તેમણે કહ્યું- ઠાકુર તારી સાથે વાત કરવી છે અને એટલું કહેતા તો તેમનું હૃદય ભરાઈ ગયું.
રાજએ આગળ કહ્યું- મને એ સમયે જ એહસાસ થઈ ગયો કે, કંઈક ગડબડ છે. ત્યારે એમણે મને કહ્યું કે, ઠાકુર પાંચ મિનિટમાં કોલ કરજે. મેં પાંચ મિનિટ બાદ કોલ કર્યો અને પૂછ્યું, ચિન્ટુ બધું ઠીક છે ને...તો તેમનું હૃદય ફરી ભરાઈ ગયું અને ત્યારબાદ તેમણે મને કહ્યું, ઠાકુર ખરાબ સમાચાર છે. મને કેન્સર થઈ ગયો છે. હું આજે ઈલાજ માટે ન્યૂયોર્ક જઈ રહ્યો છું.
તમને જણાવી દઈએ કે, રાજ બંસલ અને ઋષિની મિત્રતા ઘણી જૂની છે. જ્યારે કેન્સરનો ઈલાજ કરાવી ઋષિ ઘરે ભારત પરત આવ્યા ત્યારે પણ રાજ તેમને મળવા મુંબઈ પહોંચ્યો હતો.