બોલિવુડના એક્ટર ઋષિ કપૂરનો જન્મ4 સપ્ટેમ્બર 1952માં થયો હતો તેમને એક્ટિંગ વારસામાં મળી છે. પિતા અને દાદાની ગણના તેમના સમયના સૌથી મોટા કલાકારો તરીકે થઇ. પરંપરાને આગળ વધારતાં ઋષિએ પણ ફિલ્મી દુનિયામાં પોતાની અલગ સ્થાન બનાવ્યું.
ઋષિ કપૂરે એક્ટ્રેસ નીતુ સિંહ સાથે લગ્ન કર્યા તેમના 2 બાળકો છે. રણબીર કપૂર અને રિદ્ઘિમા કપૂર સહાની. ઋષિ કપૂર અને નીતિ સિંહનો દિકરો રણબીર પણ પૂર્વજોની માફક લોકોના દિલ પર રાજ કરે છે. રણબીર સિવાય ઋષિ કપૂરની દિકરી છે રિદ્ઘિમા. જોણે કપૂરના ખાનદાનના અમુક સભ્યોની જેમ ફિલ્મી કરિયરને પસંદ નથી કર્યુ જેથી બહુ ઓછા લોકો રિદ્ઘિમા વિશે જાણે છે.
ઋષિ કપૂર અને નીતુ સિંહની દિકરી રિદ્ઘિમા કપૂર સાહની છે જેનો જન્મ 15 સપ્ટેમ્બર 1980માં થયો. કપૂર ખાનદાન વર્ષોથી બોલિવુડ પર રાજ કરે છે પરંતુ રિદ્ઘિમા લાઇમલાઇટથી દૂર છે. રિદ્ઘિમા એક્ટર રણબીર કપૂરની મોટી બહેન છે. રિદ્ઘિમા ઉંમરમાં કરિના કરતા ફકત 6 દિવસ મોટી છે.
રિદ્ઘિમા કપૂર ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે જે આજે ફેશન ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. R જ્વેલરી નામની રિદ્ઘિમાંની જ્વેલરી બ્રાન્ડ છે.
રિદ્ઘિમાને ક્યારેય બોલિવુડમાં નહોતી આવવા માગતી. રિદ્ઘિમાનું કહેવું છે કે તે હંમેશાથી જ્વેલરી ડિઝાઇન કરવા માગતી હતી કલરફૂલ રત્નો પર કામ કરવું અને જ્વેલરી બનાવવું ખૂબ ગમે છે.
રિદ્ઘિમાએ 25 જાન્યુઆરી 2006માં પોતાના ફ્રેન્ડ અને દિલ્હીના બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. 5 વર્ષ પછી એકબીજાને ડેટ કરીને બંનેએ લગ્ન કર્યા હતા. 23 માર્ચ 2011ના રોજ રિદ્ઘિમા અને ભરત પેરેન્ટ્સ બન્યા દિકરીનું નામ સમારા છે. ભરત એક્સપોર્ટ ગાર્મેન્ટ કંપનીના માલિક છે. રિદ્ઘિમા પોતાની ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગની મદદથી કરોડો રૂપિયાની માલિક છે.