ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ગ્લેમર સ્ટાર્સની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફ પર પણ અસર કરે છે. જેના કારણે રિલેશનશિપ અને મેરિડ લાઈફમાં ઘણીવાર દરાર પણ પડી જાય છે, પણ કેટલાક સ્ટાર્સ એવા પણ હોય છે જેમની પર્સનલ લાઈફ પર તેની કોઈ જ અસર થતી નથી. આજે અમે તમને એવા પાવર કપલ વિશે જણાવી રહ્યું છે જેમના લગ્નને 40 વર્ષ થઈ ગયા છે અને આજે પણ આ બંનેની જોડી ન્યૂલી મેરિડ કપલ્સ જેવી લાગે છે. અમે વાત કરી રહ્યાં છે ઋષિ કપૂર અને નીતૂ સિંહની.
ઋષિ કપૂર અને નીતૂ સિંહના લગ્નને પૂરા થયા 40 વર્ષ
લગ્ન બાદ પણ ઋષિના અફેર ચર્ચામાં રહેતા હતા
લગ્નના દિવસે બંને બેભાન થઈ ગયા હતા
લગ્ન દરમિયાન કંઈ એવું બન્યું કે બધાં ડરી ગયા
ઋષિ અને નીતૂના લગ્ન 22 જાન્યુઆરી 1980એ થયા હતા. કપૂર પરિવારના આ લગ્નમાં દેશ અને વિશ્વની જાણીતી હસ્તીઓ આવી હતી, પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું હતું કે બધાં જ ડરી ગયા હતા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન નીતુ સિંહે જણાવ્યું હતું કે, લગ્ન દરમિયાન ઋષિ અને તે બેભાન થઈ ગયા હતા.
નીતુ સિંહે જણાવ્યું કે, 'અમે બંને બેભાન થઈ ગયા હતા, પરંતુ અમે બંને જુદા-જુદા કારણોથી બેભાન થયા હતા. હું લહેંગો સંભાળતા બેભાન થઈ હતી અને ઋષિ તેની આસપાસની ભીડને જોઈને પરેશાન થઈ ગયો હતો અને તેના કારણે તે ચક્કર ખાઈને નીચે પડી ગયો હતો. બાદમાં જ્યારે અમારા બંનેની તબિયત સારી થઈ, પછી અમારા લગ્ન પૂરા થયા.
ઋષિ કપૂર અને નીતૂના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. ઋષિ કપૂરનો અફેર લગ્ન પહેલા જ નહીં પણ લગ્ન પછી પણ રહ્યો હતો. નીતૂ સાથે લગ્ન કર્યા બાદ અડધી ઉંમરની એક્ટ્રેસ દિવ્યા ભારતી સાથે તેના અફેરની ખૂબ ચર્ચાઓ થઈ હતી.
નીતૂએ કહ્યું હતું કે, જ્યારે એ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, ત્યારે પણ ઋષિ બીજી એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કરતો હતો, પણ તે એવું દેખાડતો હતો કે તેનું કોઈની સાથે અફેર નથી. હું જ્યારે પણ પૂછતી ત્યારે કહેતા એવું કંઈ નથી. નીતૂએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, હું એકદમ સાધારણ અને ઈનોસન્ટ હતી. હું ઋષિની વાતો પર વિશ્વાસ કરી લેતી હતી અને ઋષિને પણ એવું લાગ્યું કે, હું સાધારણ યુવતી છું તો તેને સાચવી લઈશ.