જ્યારે શ્યામ શર્મા રિષભ પંતને મળ્યા ત્યારે અકસ્માત કેવી રીતે થયો? તેના વિશે પણ વાત કરી. તેના પર પંતે ખુલાસો કર્યો કે..
રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે
ઝપકીને કારણે નહીં પણ આ કારણે થયો હતો અકસ્માત
લંડનમાં પંતની સારવાર અંગે BCCI લેશે નિર્ણય
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ મર્સિડીઝ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે (30 ડિસેમ્બર) વહેલી સવારે રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં બની હતી. સવારે 5:15 વાગ્યે તેમની મર્સિડીઝ બેન્ઝ કાર નરસન બોર્ડર પર રોડની રેલિંગ સાથે અથડાઈ હતી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટક્કર એટલી મોટી હતી કે કાર હવામાં ઉછળીને થોડે દૂર જઈને પડી હતી અને આ અકસ્માત પછી તરત જ કારમાં આગ લાગી હતી, જોતાં જોતાં જ મર્સિડીઝ બેન્ઝ થોડી વારમાં સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.
ઝપકી આવી અને કાર ડિવાઈડર સાથે અથડાઈ
એક્સિડન્ટ પછી રિષભ પંતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે એમને જણાવ્યું હતું કે તેને કાર ચલાવતા ચલાવતા ઝપકી આપી ગઈ હતી અને એ કારણે અકસ્માત થયું હતું. પંત પોતે કાર ચલાવી રહ્યા હતા અને અકસ્માત બાદ પંતે કહ્યું હતું કે તે ડ્રાઇવિંગ કરતી વખતે સૂઈ ગયો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, અકસ્માત થયા પછી તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો અને આ પછી કારમાં જોરદાર આગ લાગી હતી.
ઝપકીને કારણે નહીં પણ આ કારણે થયો હતો અકસ્માત
રૂરકી બાદ રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો અને ત્યાં પંતને મળવા માટે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની એક ટીમ પણ અહીં પહોંચી હતી અને આ દરમિયાન રિષભ પંતે ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માને મળીને નવો ખુલાસો કર્યો છે. આ વિશે શ્યામ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારે શ્યામ શર્મા રિષભ પંતને મળ્યા ત્યારે અકસ્માત કેવી રીતે થયો? તેના વિશે પણ વાત કરી. તેના પર પંતે ખુલાસો કર્યો કે ખાડો સામે આવી ગયો હતો અને તેનાથી બચાવવા જતાં આ અકસ્માત થયો હતો.
લંડનમાં પંતની સારવાર અંગે BCCI લેશે નિર્ણય
આ સાથે જ શ્યામ શર્માએ કહ્યું હતું કે રિષભ પંતને અત્યારે એરલિફ્ટ કરવાની જરૂર નથી. હાલ તેમને દિલ્હી શિફ્ટ કરવામાં આવશે નહીં અને રિષભ પંતની સારવાર માટે લંડન લઈ જવો પડે એવી સ્થિતિ થશે તો તે બીસીસીઆઈ દ્વારા નક્કી કરવામાં આવશે. BCCI રિષભ પંતને ગમે ત્યાં શિફ્ટ કરવાનો નિર્ણય લેશે. હાલ રિષભ પંતને થોડો દુખાવો છે પણ તે હજુ હસતો ચહેરો રાખીને રહે છે આ સાથે જ બીસીસીઆઈ તમામ ડોક્ટરોના સંપર્કમાં છે.