ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ બીજી વનડે ક્રિકેટ મેચમાં વિકેટકીપર રિષભ પંત ટીમ ઇન્ડિયામાં શામેલ નહી થાય.મંગળવારે રમાયેલી પહેલી વનડે ક્રિકેટ મેચ દરમિયાન તેના માથામાં બોલ વાગ્યો હતો જેના કારણે તે ફિલ્ડિંગમાં આવી શક્યો ન હતો. માનવામાં આવી રહ્યુ છે કે, છેલ્લી વનડેમાં પણ તે રમશે કે નહી તેનો નિર્ણય તેની પ્રતિક્રિયા બાદ જ લેવામાં આવશે.
અગાઉ તે વાત સામે આવી હતી કે રિષભ પંત ટીમ સાથે રાજકોટ નથી પહોંચ્યો કેમકે તેણે સામાન્ય રીતે માથામાં બોલ વાગ્યના 24 કલાક સુધી કોઇ ખેલાડીને દેખરેખ રાખવામાં આવે છે. તેથી તે વાત પર અસમંજસની સ્થિતિ હતી કે તે બીજી મેચમાં ટીમનો ભાગ રહેશે કે નહી. વાસ્તવમાં ટીમ ઇન્ડિયાની બેટિંગ દરમિયાન 44મી ઑવર પેટ કમિન્સનો બાઉન્સ બોલ તેના હેલ્મેટને વાગ્યો હતો અને તે આઉટ પણ થયો હતો.
મીડિયા અનુસાર, રિષભ પંતને બેંગ્લોર જવુ પડશે. ટીમ ઇન્ડિયાના ક્રિકેટ બોર્ડે કહ્યુ કે, રિહેબિલિટેશન પ્રોટોકલ અંતર્ગત રિષભ પંતને બેંગ્લોર જવુ પડશે. જોકે બોર્ડે જણાવ્યુ છે કે પંતની ઇજા ગંભીર નથી. રિષભ પંતને મંજૂરી લઇને ગ્રાઉન્ડની બહાર ગયો હતો. તેના સ્થાને લોકેશ રાહુલ વિકેટકીપિંગમાં આવ્યો હતો. બોર્ડ પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે પંતને દેખરેખમાં રાખવામાં આવશે. ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 જાન્યુઆરીએ રાજકોટમાં બીજી વનડે રમાશે.
પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ. ટીમ ઇન્ડિયાએ 255 રનના સ્કોરે આઉટ થઇ ગઇ હતી. જેમાં પંતે 33 બૉલમાં 28 રન કર્યા હતા. રાહુલ વિકેટકીપિંગમાં તો મનીષ પાંડે પંતના સ્થાને ફિલ્ડિંગમાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચમાં 10 વિકેટથી જીત મેળવીને સીરિઝની શરૂઆત કરી.
ઓસ્ટ્રેલિયા ભારતમાં સતત ચોથી મેચ જીત્યું છે. આ પહેલા 2019માં 5 મેચની સીરિઝમાં 0-2થી પાછળ રહ્યા પછી તેમણે સીરિઝ પોતાના નામે કરી હતી. બીજી તરફ ટીમ ઇન્ડિયાને વાનખેડે ખાતે સતત ત્રીજી મેચ હાર્યું છે.