ન્યૂઝીલેન્ડે બુધવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં સેમીફાઇનલની રોમાંચક મેચમાં ભારતને 18 રનથી હરાવી દીધું. આ હારની સાથે ભારતની વર્લ્ડકપની સફર પૂર્ણ થઇ ગઇ. ન્યૂઝીલેન્ડના 240 રનના લક્ષ્યનો પીછો કરવા માટે જ્યારે ભારતીય ખેલાડી મેદાનમાં ઊતર્યા તો 5 ઓવરોમાં જ વિકેટો પડી ગઇ.
ભારતીય ટીમ ખરાબ શરૂઆત બાદ ભારે દબાણમાં હતી. ભારતનો ઉચ્ચ ક્રમ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સમગ્ર રીતે ધરાશયી થઇ ગયો અને ન્યૂઝીલેન્ડના બે બોલરે પહેલી 10 ઓવરમાં જ ભારતની 4 વિકેટ પાડી દીધી. ન્યૂઝીલેન્ડના બોલરોએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે એલ રાહુલને માત્ર એક રન પર જ આઉટ કરી દીધા.
વિરાટ કોહલી આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. જ્યારે ઋષભ પંતની વિકેટ પજી તો એ કોચ રવિ શાસ્ત્રી તરફ વળ્યો અને ગુસ્સામાં ચર્ચા કરતો નજરે આવ્યો.
યુવા વિકેટકીપર બેટ્સમેન પંતને ચોથા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો જો કે હાર્દિક પંડ્યાની સાથે 47 રનોની ભાગીદારી બાદ પંત પોતાની વિકેટ ગુમાવી બેઠો.
પંત આઉટ થતા જ બાલ્કનીમાં ઊભેલો કોહલી સીધો શાસ્ત્રીની સાથે પહોંચ્યો અને એમની સાથે કેટલીક વાતચીત કરી. ટેલિવિઝનના કેમરામાં ભારતીય કેપ્ટન અને કોચની વચ્ચે આ ખટપટ કેદ થઇ ગઇ. ગુસ્સામાં જોવા મળી રહેલો કોહલી શાસ્ત્રી સાથે થોડીક વાતચીત બાદ ડ્રેસિંગ રૂમમાં ચાલ્યો જાય છે.
ભારતે નંબર 5 પર બેટિંગ માટે દિનેશ કાર્તિકને મોકલ્યો જ્યારે સૌથી અનુભવી બેટ્સમેન ધોની ડ્રેસિંગ રૂમમાં પોતાનો વારો આવે એની રાહ જોઇને બેઠો હતો. કાર્તિકે પણ 10મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો. દિનેશ કાર્તિક બાદ પણ ધોનીનો નંબર આવ્યો નહીં અને હાર્દિક પંડ્યાને ઊતારવામાં આવ્યો.
શરૂઆતમાં જલ્દી જલ્દી વિકેટ પડ્યા બાદ રવિ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની વચ્ચે ચર્ચા થઇ કે હવે કોને ઊતારવામાં આવે. દરેક લોકોને ધોની આવે એવી આશા હતી. પરંતુ એના પહેલા દિનેશ કાર્તિક અને ઋષભ પંતને તક આપવામાં આવી. પંત 32 રન બનાવીને આઉટ થઇ ગયો. અંતે ધોનીને નંબર 7 પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો.
મેચ બાદ જ્યારે કેપ્ટન કોહલીને પૂછવામાં આવ્યું કે એ ડ્રેસિંગ રૂમમાં શાસ્ત્રી સાથે શું વાત કરી રહ્યો હતો? તો ભારતીય કેપ્ટને જવાબ આપ્યો, 'મે પૂછ્યું હતું કે આ સ્થિતિથી આગળ જવાની શું રણનીતિ છે અને મેદાનમાં અંદર શું સંદેશ મોકલવાનો છે કારણ કે આપણે જોઇ શકીએ મેચ કઇ તરફ જઇ રહી છે.'
પંતનો બચાવ કરતાં કોહલીએ કહ્યું, 'એ સ્વાભાવિક ખેલાડી છે અને એને ખરાબ સ્થિતિથી બહાર આવવાનું સારું કામ કર્યું છે અને પંડ્યા સાથે ભાગીદારી કરી. મને લાગે છે કે 3-4 વિકેટ પડ્યા બાદ એને જે રીતે રમી એ સારી હતી. એ હજુ યુવા છે.હું જ્યારે યુવા હતો ત્યારે મે પણ ઘણી ભૂલો કરી, પરંતુ શીખ્યો એ પણ શીખશે.'