કોકિલાબેન હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા મુજબ રિષભ પંતને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે
અકસ્માત બાદ રિષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે
પહેલી વખત રિષભ પંત પોતાના પગ પર ઉભો થયો હતો
કેટલો સમય હોસ્પિટલમાં રહેશે રિષભ પંત?
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે હાલ સારા સમાચાર અમે આવી છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં અકસ્માતનો ભોગ બનેલો રિષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને હાલ ભારતીય વિકેટકીપર બેટ્સમેન હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં છે. હોસ્પિટલમાં સર્જરી બાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે અને દુર્ઘટના પછી પહેલી વખત રિષભ પંત પોતાના પગ પર ઉભો થયો હતો, જો કે પંત થોડી સેકન્ડો માટે તેના પગ પર ઊભો રહી શક્યો હતો.
Yesterday was so overwhelming. A big thanks to all my friends, teammates, and fans for taking their time to wish me. It really meant a lot to me and I am very grateful for it. 🙏🙌 pic.twitter.com/tfZk3f3uPW
ડોકટરોએ શું કહ્યું?
એક રિપોર્ટ અનુસાર કોકિલાબેન હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા મુજબ રિષભ પંતને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે એટલે કે રિષભ પંત કદાચ આ વર્ષના પહેલા છ મહિનામાં ક્રિકેટ મેદાન પર જોવા નહીં મળી શકે. જો કે અકસ્માત પછી ડોકટરોએ જણાવ્યું હતું કે રિષભ પંત ક્યારે ક્રિકેટ મેદાનમાં પરત ફરશે એ વાત રિહેબ અને ટ્રેનિંગ પર નિર્ભર છે. જણાવી દઈએ કે ભારતીય વિકેટકીપર બેટ્સમેનનું રિહેબ અને ટ્રેઈનિંગ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે એ પછી શરૂ કરવામાં આવશે.
કેટલો સમય હોસ્પિટલમાં રહેશે રિષભ પંત?
હાલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં પંતની સારવાર ચાલી રહી છે અને ત્યાંના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર પંતને લગભગ વધુ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડશે અને એ પછી પણ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનને હજુ પણ ચાલવામાં તકલીફ થશે. સાથે જ ડોકટરોએ એમ પણ કહ્યું હતું કે તેઓ વોકર અને અન્ય સપોર્ટની મદદથી ચાલી શકે છે.