ટીમ ઈન્ડિયાના ક્રિકેટર ઋષભ પંતની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ પંતે પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર ઋષભ પંતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
અકસ્માત બાદ પંતે પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
પંતે મુશ્કેલ સમયમાં તેને સાથ આપવા બદલ BCCIનો પણ આભાર માન્યો
ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ગયા વર્ષે રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. પંત તેની મર્સિડીઝ કારમાં રૂરકી જઈ રહ્યા હતા ત્યારે તેની સાથે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ઋષભ પંતની પ્રથમ સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હવે ઋષભ પંતે અકસ્માત બાદ પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પંતે કહ્યું કે તેની સર્જરી સફળ રહી છે અને તે આવનારા પડકારો માટે તૈયાર છે. પંતે બીસીસીઆઈ, પ્રશંસકો અને સરકારી સત્તાનો પણ આ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ આભાર માન્યો હતો. પંત પણ જલ્દી મેદાનમાં પરત ફરવા માંગે છે.
ઋષભ પંતે લખ્યું, 'હું તમામનો આભાર અને સમર્થન અને શુભેચ્છાઓ માટે આભારી છું. મને તમને જણાવતા આનંદ થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. પુનઃપ્રાપ્તિનો માર્ગ શરૂ થઈ ગયો છે અને હું આગળના પડકારો માટે તૈયાર છું. હું બીસીસીઆઈ અને જય શાહનો આભારી છું.
I am humbled and grateful for all the support and good wishes. I am glad to let you know that my surgery was a success. The road to recovery has begun and I am ready for the challenges ahead.
Thank you to the @BCCI , @JayShah & government authorities for their incredible support.
પંતે આગળ લખ્યું કે મારા દિલની ગહેરાઈમાં મેં તમામ પ્રશંસકો, ટીમ મેમ્બરો, ર્ડાક્ટરો અને ફિઝીયોને દયાળું શબ્દો અને પોત્સાહન માટે ધન્યવાદ આપવા માંગું છું. તમને બધાને મેદાન પર જોવા માટે હું ઉત્સુક છું.
I am humbled and grateful for all the support and good wishes. I am glad to let you know that my surgery was a success. The road to recovery has begun and I am ready for the challenges ahead.
Thank you to the @BCCI , @JayShah & government authorities for their incredible support.
ઓક્ટોમ્બર-નવેમ્બરમાં થનાર વનડે વિશ્વકપમાંથી પણ બહાર રહેવાની સંભાવના
ઋષભ પંતનો કોકિલાબેન હોસ્પિટલમાં લિંગામેન્ટ રીકંસ્ટ્રકેશન સર્જરી થઈ છે. હવે પછીના છ અઠવાડિયાની અંદર ઋષભ પંતની વધુ એક સર્જરી થવાની આશા છે. એવામાં વિકેટકીપર અને બેટ્સમેનનાં આઈપીએલ અને એશિયા કપની સાથે ઓક્ટોમ્બર-નવેમ્બરમાં થનાર વનડે વિશ્વકપમાંથી પણ બહાર રહેવાની સંભાવના છે.
કાર અકસ્માત બાદ પંતના માથામાં અને કરોડરજ્જુની એમઆરઆઈ કરવામાં આવી છે. પરંતું સોજો અને દુઃખાવોના કારણે તેમને ધુંટણમાં લિગમેન્ટની સર્જરીથી બહા આવતા ઓછામાં ઓછા 6 થી 8 મહિના લાગી શકે છે.
બસ ડ્રાયવર તેમજ કંડક્ટરને ઉત્તરાખંડ સરકાર દ્વારા ઈનામ આપવામાં આવ્યું
ઋષભ પંતનો અકસ્માતમાં જીવ બચી ગયો તે એક ચમત્કારથી વધારે નથી. એમની કાર ડિવાઈડરને ટકરાઈ જે બાદ એમાં આગ લાગી ગઈ હતી. પંત કોઈપણ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ત્યારે હરિયાણા રોડવેઝના બસ ડ્રાયવર સુશીલે પંતની ખૂબ જ મદદ કરી. પછી તે બસ ડ્રાઈવર અને કંડક્ટરને ઉત્તરાખંડ સરકાર દ્વારા ઈનામ આપવામાં આવ્યું હતું.