ભરતીય ટીમના ક્રિકેટના બેસ્ટમેન રિષભની તબિયત સુધારા તરફ આગળ વધી રહી છે. ત્યારે યુવરાજસિંહે પણ તેની મુલાકાત લીધી હતી.
ક્રિકેટર પંતની તબિયતમાં સતત સુધારો
અઢી માસ અગાઉ રિષભ પંથની કારણે ભયાનક અકસ્માત નડ્યોર
યુવરાજસિંહે રિષભ પંતની મુલાકાત લીધી
ભયંકર અકસ્માતનો ભોગ બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર અને બેસ્ટમેન રિષભ હવે ધીમે ધીમે શાજાનરવા થવા તરફ આગળ વધી રહ્યું છે. મહત્વનો છે કે અઢી માસ અગાઉ રિષભ પંથની કારણે ભયાનક અકસ્માત નડ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની એક હોસ્પિટલમાં સર્જરી ચાલુ હતી. જેને લઈને તે ક્રિકેટના મેદાનથી લાંબા સમયથી તે ક્રિકેટથી દૂર હતો પણ હવે સર્જરી પૂર્ણ થયા બાદ આવે તે પુનરાગમન માટે કાર્યવાહી કરી રહ્યો છે અને પાંચથી છ માસ જેટલા સમયગાળામાં પણ ફરી મેદાન પર દેખાઈ શકે છે.
આવી સ્થિતિ વચ્ચે ભારતના ખ્યાતનામ બલ્લેબાજ યુવરાજસિંહે આજે રિષભ પંતની મુલાકાત લીધી હતી અને તેમણે આ સમયગાળા દરમિયાન એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં જણાવ્યું કે પંત સાજો થઈ રહ્યો છે અને આ ચેમ્પિયન ફરી પ્રગતિ માટે તૈયાર છે. બાદમાં મુલાકાત માટે રાજીપો વ્યક્ત કર્યો હતો.
ગાઈકાલે લાકડીના ટેકે સ્વિમિંગ પુલમા કરી હતી ચાલવાની પ્રેક્ટિસ
થોડા સમય અગાઉ ભારતના સ્ટાર ક્રિકેટર રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં બેસ્ટમેન રિષભ પંત ગંભીર રીતે ઈજાગસ્ત થયો હતો. જેને પગલે હાલ તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમથી દૂર છે અને તેમની તબિયતમાં સતત સુધારો પણ આવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે બેસ્ટમેન રીષભ પંથ દ્વારા અવારનવાર સોશિયલ મીડિયા પર વીડિયો, ફોટો અને સંદેશો વાયરલ કરી અને તેના ફેન્સને અપડેટ આપતો રહે છે. તેવામાં તાજેતરમાં પણ તેમને ઇન્સ્ટાગ્રામ પાર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે પુલમાં વોક કરી રહ્યો હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં પંત પુલમાં લાકડીના સહારે ચાલી રહ્યો છે. આ વીડિયોને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ લાઈક કર્યો છે અને કીપ ઇટ અપ પંત તે અંગેની કોમેન્ટ પણ કરી હતી.