ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક હિસ્સો તૂટી જતા વિકરાળ પૂર આવ્યું હતું. તેમની મદદ માટે ઋષભ પંતે એક નિર્ણય કર્યો છે.
ઉત્તરાખંડમાં ગ્લેશિયર ટ્રેજેડી
ઋષભ પંત મદદ માટે આવ્યો આગળ
મૃતકોના પરિવારને ચાર લાખની મદદ
આ પૂરના કારણે પનવિજળી પરિયોજનામાં કામ કરી રહેલા ઓછામા ઓછા 10 લોકોનું મોત થયુ છે અને 150થી વધારે મજૂર ખેવાયેલા છે. ભારતીય વિકેટ કીપર અને બેટ્સમેન ઋષભ પંતે ગૃહરાજ્યમાં આવી પડેલી આ મુશ્કેલીથી ખુબ દુઃખી છે. પંતે પીડિતોને મદદ કરવા માટે પોતાની મેચ ફીઝ આપી દેવાનું એલાન કર્યુ છે. તેણે ટ્વિટ કર્યુ છે કે ઉત્તરાખંડમાં લોકોની મોતથી મને ઘણુ દુઃથ થયુ છે. હું પોતાની મૅચ ફીઝ તેમને આપીને બચાવ કાર્યમાં મદદ કરીશ. લોકોને પણ મદદ કરવાની અપીલ કરુ છુ.
રવિરાવે ગંગાની સહાયક નદીઓ ધૌલી ગંગા, ઋષિ ગંગા અને અલકનંદામાં પૂર આવવાથી ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં ખતરો ફેલાઇ ગયો છે અને ખુબ તબાહી થઇ છે. તપોવન-વિષ્ણગાડ પનવિજળી પરિયોજના અને ઋષિગંગા પરિયોજનાને પણ મોટુ નુકસાન થયુ છે અને તેમાં કામ કરતા કેટલાક શ્રમિક યુવકો ફસાઇ ગયા છે. તેમાં ફસાયેલા 16 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે 150 હજૂ પણ ગાયબ છે.
Deeply pained by the loss of life in Uttarakhand. Would like to donate my match fee for the rescue efforts and would urge more people to help out.
પૌડી, ટિહરી, રુદ્રપ્રયાગ, હરિદ્વાર અને દહેરાદૂન સહિત કેટલાક જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આગળના બે દિવસ સુધી ક્ષેત્રમાં વરસાદની સંભાવના નથી. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.