આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની વિશ્વ રેંકિંગમાં બેટ્સમેનના લિસ્ટમાં ઋષભ પંત 11મા સ્થાને પહોંચી ગયો છે.
ICCએ કર્યુ વિશ્વના ખેલાડીઓનું રેન્કિંગ
ધોની કરતા પંત વધુ આગળ
11મા રેન્ક પર પંતે જમાવ્યુ સ્થાન
ઋષભ પંતના 715 પોઇન્ટ છે અને તે પહેલા વિકેટકિપર છે જેણે 700 અંકનો આંકડો પાર કરી લીધો છે. ભારતના પૂર્વ મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેટિંગ 662 સુધી જ પહોંચી શક્યા છે. તેમના સિવાય ફારુખ એન્જીનીયરના 619 અંક હતા. ધોનીની આ રેટિંગ સાથે તે 19મા સ્થાન પર છે.
સતત ચોથી મૅચમાં અર્ધશતક
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પંત જબરજસ્ત ફોર્મમાં રહ્યો હતો. સિડની ટેસ્ટમાં પંતે ચોથી ઇનીંગમાં 87 રન કર્યા હતા જેના કારણે ભારત તે ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહ્યો હતો. તે બાદ બ્રિસબેનમાં 89 રન કર્યા હતા અને જીત હાંસલ કરવામાં મોટી મદદ કરી હતી. ઇન્ગલેન્ડ વિરુદ્ધ પણ પહેલી ટેસ્ટમાં 91 રન કર્યા હતા. જે બાદ ચેન્નઇમાં રમાઇ રહેલી બીજી મૅચમાં 77 બૉલમાં 58 રન બનાવ્યા હતા.
રવિચંદ્રન અશ્વિન ઇન્ગલેન્ડ સામે બીજી મૅચમાં શાનદાર પ્રદર્શનના કારણે ઓલરાઉન્ડરની લિસ્ટમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે. અશ્વિને ઇન્ગલેન્ડ સામેની મૅચમાં 106 રન બનાવ્યા હતા અને 8 વિકેટ લીધી હતી. ભારતે આ મૅચ 317 રનથી જીતી લીધી હતી. ચેન્નઇ ટેસ્ટમાં 161રન બનાવનાર રોહિત શર્મા 14મા નંબર પર છે.
વિરાટ કોહલી અને એમ્પાયર વચ્ચે તૂતૂ-મેમે
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇન્ગલેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી મેચમાં એમ્પાયર નીતિન મેનન સાથે ઝઘડી પડ્યા હતા. ચેન્નઇના સ્ટેડીયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અક્ષર પટેલે ફેંકેલા બોલથી જો રૂટને જીવનદાન મળ્યુ હતુ.
અક્ષર પટેલે ફેંકેલા તે બોલ પર જોરદાર અપીલ થઇ અને એમ્પાયરે નોટઆઉટ નિર્ણય આપ્યો હતો. જે બાદ વિરાટે ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો. બોલ વિકેટ લાગી રહી હતી પરંતુ એમ્પાયર્સે રૂટને નોટઆઉટ ગણાવ્યો હતો.
આ ઘટના બાદ વિરાટ કોહલી નારાજ થઇ ગયા હતા અને થર્ડ એમ્પાયરનો નિર્ણય આવ્યા બાદ વિરાટ ઓનફીલ્ડ એમ્પાયર મેનન પાસે પહોંચી ગયા અને બંને વચ્ચે તૂતૂમેમે થઇ ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. વિરાટો કોહલીનું આ પગલુ તેને મોંઘુ પડી શકે છે. icc કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.8 હેઠળ એમ્પાયરના નિર્ણય પર નારાજગી બતાવવી અને જીભાજોડી કરવી લેવલ એક કે બેના ચાર્જ લાગી શકે છે.
કોહલી પર લાગી શકે છે એક મૅચનો બૅન
આ માટે ખેલાડીમાં એકથી ચાર ડિમેરિટ પોઇન્ટ જોડાઇ શકે છે. 24મહિનાની અંદર જો કોઇ ખેલાડીના ખાતામાં ચાર ડિમેરીટ પોઇન્ટ જોડાઇ જશે. તો તેમને એક ટેસ્ટ અથવા બે વન ડે બે ટી-20 મૅચ માટે બૅન થઇ શકે છે.
વિરાટના ખાતામાં પહેલાથી જ બે ડિમેરીટ પોઇન્ટ છે અને જો તેમના માટે બે ડિમેરીટ પોઇન્ટ મળે છે તો તેમે એક ટેસ્ટ મૅચ માટે સસપેન્ટ કરવામાં આવશે. જો આવુ થયુ તો વિરાટ અમદાવાદમાં રમાનારી વન ડે નાઇટ ટેસ્ટથી બહાર થઇ શકે છે. જો કે હજુ સુધી વિરાટ કોહલીને કોઇ સજા સંભળાવવામાં આવી નથી.