ભાજપે પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી લીધી છે. જગત પ્રસાદ નડ્ડા ભારતીય જનતા પાર્ટીના 14માં અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અનેક પડકારો જેપી નડ્ડાની રાહ જોઈ રહ્યા છે. તેમાં સૌથી મોટો પડકાર હશે અમિત શાહના કરિશ્માને ટકાવી રાખવો.
શું જેપી નડ્ડા ભાજપની આશાઓ પર ખરા ઉતરશે?
ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાઈ ગઈ છે. કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા જગત પ્રસાદ નડ્ડાને કશા પણ આંતરિક વિરોધ વિના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નડ્ડા સિવાય કોઈપણ નેતાઓ ઉમેદવારી નોંધાવી ન હતી. દિલ્લીના ભાજપ કાર્યાલયમાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના તમામ શીર્ષસ્થ નેતાઓની હાજરીમાં ભાજપના 14માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
જગત પ્રકાશ નડ્ડાની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી કરવા પાછળ ઘણા કારણો છે.
આ માટે થઈ પસંદગી
અમિતશાહને ગૃહમંત્રી બનાવ્યા બાદ નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા
2019માં નડ્ડાએ ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી સંભાળી હતી
સપા અને બસપાના ગઠબંધન સામે ભાજપને જીત અપાવી હતી
ઉત્તરપ્રદેશની 80 સીટોમાંથી 62 પર જીત અપાવી પ્રભારી તરીકે ખરા ઉતર્યા હતા
જે પી નડ્ડા હાલ ભાજપના સંસદીય બોર્ડના પણ સચિવ છે. તેઓ પોતાના મધુર વ્યવહાર દ્વારા પાર્ટીમાં આગવી ઓળખ ધરાવે છે. જો કે તેમ છતાં ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહની જગ્યાએ જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આથી એ સ્પષ્ટ છે કે, જે.પી. નડ્ડાની સામે અધ્યક્ષ તરીકે ઘણા મોટા પડકારો હશે. કેમકે જે. પી. નડ્ડાને માત્ર ભાજપના અધ્યક્ષ તરીકે જ નહીં પરંતુ અમિત શાહના અુનગામી તરીકે પણ જોવાઈ રહ્યા છે.
ત્યારે નડ્ડા સામે, અમિત શાહે ભાજપના રથને જ્યાં પહોંચાડયો છે ત્યાંથી નડ્ડાએ આગળ ધપાવવાનો પડકાર છે. કેમકે અમિત શાહે પોતાના અધ્યક્ષ પદ તરીકેના કાર્યકાળ દરમિયાન ભાજપને નવી ઊંચાઈ અપાવી છે. ત્યારે આશાઓનો ભાર એ વધી રહ્યો છે કે, શું જગત પ્રકાશ નડ્ડા શાહ જેવા અધ્યક્ષ સાબિત થઈ શકશે? કેમકે, પદ સંભાળ્યા બાદ જે.પી. નડ્ડા સામે ત્રણ રાજ્યની ચૂંટણીમાં જીત અપાવવાનો પડકાર છે.
દિલ્લી, બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં જીત અપાવવાનો પડકાર છે. કેમકે, આ ત્રણ રાજ્યો ભાજપ માટે ખાસ મહત્ત્વના છે. તો એ પછી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે ઉત્તરપ્રદેશ, અને ઉત્તરાખંડમાં પોતાની સત્તા બચાવાનો પણ પડકાર છે. છેલ્લા એક વર્ષમાં ભાજપના હાથમાંથી પાંચ રાજ્યો સરકી ગયા છે. નુકસાનીને ખાળવાની જવાબદારી હવે નડ્ડા પર છે.
નડ્ડા સામે આ છે પડકારો
જે. પી. નડ્ડાને માત્ર ભાજપના અધ્યક્ષ તરીકે જ નહીં પરંતુ અમિત શાહના અનુગામી તરીકે પણ જોવાઈ રહ્યા છે
અમિત શાહે ભાજપના રથને જ્યાં પહોંચાડયો છે ત્યાંથી નડ્ડાએ આગળ ધપાવવાનો પડકાર છે
દિલ્લી, બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં જીત અપાવવાનો પડકાર છે
આ ત્રણ રાજ્યો ભાજપ માટે ખાસ મહત્ત્વના છે
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પોતાની સત્તા બચાવાનો પડકાર છે
છેલ્લા એક વર્ષમાં ભાજપના હાથમાંથી પાંચ રાજ્યો સરકી ગયા છે
નુકસાનીને ખાળવાની જવાબદારી હવે નડ્ડા પર છે
જેપી નડ્ડાને રાજ્ય અને કેદ્રીય સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે આથી એવું માનવામાં આવે છે કે, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપે પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે સારી રીતે સંભાળી શકશે. છેલ્લા એક વર્ષંમાં પાંચ રાજ્યો ભાજપના હાથમાંથી સરકી ગયા બાદ જેપી નડ્ડા પર નુકસાનીને રોકવાની જવાબદારી આવી છે. તેઓ આમાં કેટલા ખરા ઉતરે છે તે વાત આગામી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી જાણી શકાશે.
ભાજપના લૉ-પ્રોફાઇલ નેતા
હિમાચલ પ્રદેશમાં ભાજપના લૉ-પ્રોફાઇલ નેતા રહેલા જેપી નડ્ડાને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ વર્ષ 2010માં પહેલીવાર રાષ્ટ્રીય રાજનીતિમાં લઇ આવ્યા. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારે નડ્ડા કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓ ભાજપની સંસદીય સમિતિમાં પણ સામેલ થયા. જે પાર્ટી મામલાઓના નિર્ણય લેવાવાળી સૌથી મોટી બૉડી છે. નડ્ડા કેન્દ્રીય ચૂંટણી સમિતિના પણ સદસ્ય છે જે લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી માટે અંતિમ નિર્ણય લે છે.
જેપી નડ્ડાને અમિત શાહે લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી, જ્યાં તેઓએ ગુજરાતના પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાની સાથે કામ કર્યું. અહીં તેમને જબરદસ્ત સફળતા મળી અને 50 ટકાથી વધારે વોટોની સાથે પાર્ટીએ 80માંથી 64 બેઠકો જીતવામાં સફળતા મેળવી.
રાજકીય કરિયરની શરૂઆત ABVP સાથે કરી
જેપી નડ્ડાએ પોતાની રાજકીય કરિયરની શરુઆત પટના યુનિવર્સિટીમાં એબીવીપીની સાથે કરી. ત્યારે તેમના પિતા આ યૂનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. વર્ષ 2010માં હિમાચલ પ્રદેશમાં પ્રેમ કુમાર ધુમલની સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા નડ્ડાએ ખુદને અલગ કરી દીધા અને દિલ્હીમાં અને દિલ્હીમાં ભાજપ મહાસચિવ બનાવવામાં આવ્યા. જોકે, એક હકીકત એ પણ છે કે, તેઓએ ધૂમલ સાથે મતભેદોને પગલે મંત્રીપદેથી રાજીનામુ આપી દીધુ હતું.
પટનામાં જન્મેલા નડ્ડા હિમાચલ પ્રદેશના બ્રાહ્મણ પરિવારથી છે. તેઓ કોન્વેન્ટ એજ્યુકેડેટ નેતા છે. તેમની પત્ની ડૉક્ટર મલ્લિકા નડ્ડા હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. વર્ષ 2012માં તેઓ હિમાચલ પ્રદેશથી બિન હરીફ રાજ્યસભા સાસંદ ચૂંટાયા અને માત્ર 7 વર્ષમાં જ આરએસએસ (RSS)નો આ નેતા પોતાના સંગઠનાત્મક કૌશલ્ય માટે જાણિતા બની ગયા. નડ્ડાની આ ખૂબીને જોતા જ તેમને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા.