દિલ્હીના મંગોલપુરીમાં 25 વર્ષના રિંકૂ શર્માની કરપણી હત્યા કરવામાં આવી.
યુવકને ઘર બોલાવી કરી હત્યા, 4 આરોપીની ધરપકડ
બચાવમાં પડેલા બે યુવક ઇજાગ્રસ્ત, પોલીસ તૈનાત
ટ્વિટર પર ટ્રેન્ડ #JusticeForRinkuSharma
દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં બુધવારના રોજ અંદાજે અડધો ડઝન હુમલાખોરોએ એક યુવકની હત્યા કરી દીધી. હત્યા કરવાનું કારણ એક કાર્યક્રમમાં થયેલ વિવાદ બતાવામાં આવી રહ્યું છે. મૃતકની ઓળખ 25 વર્ષી રિંકૂ શર્મા તરીકે કરવામાં આવી છે.
જો કે આ હત્યા બાદ બે સમૂદાયના લોકો વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું. જેને લઇને આ વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ હત્યા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી દીધો છે. પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી રહી છે. રિંકૂ શર્મા બજરંગ દળ અને ભાજપનો યૂથ વિંગનો સભ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
દશેરા પર થઇ હતી બબાલ
પોલીસના જણાવ્યાં મુજબ રિંકૂના મોટા ભાઇ મનુ શર્માના નિવેદન પર પહેલા હત્યાનો પ્રયત્ન, આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ રિંકુના મૃત્ય પછી હત્યાને સેકશન સાથે જોડી દેવામાં આવી છે.
મનુ શર્માના નિવેદન મુજબ તે માતા-પિતા તેમજ બે ભાઇઓ સાથે મંગોલપુરીમાં આવેલા કે બ્લોકમાં રહે છે. ઘરમાં પિતા-માતા, મોટો ભાઇ રિંકુ અને નાનો ભાઇ છે. મનુ શર્માએ આરોપ લગાવતા કહ્યું કે ઘરથી થોડે દૂર કે બ્લોકમાં જ દાનિશ ઉર્ફે લાલી, ઇસ્લામ, મેહતાબ ઉર્ફે નાટૂ અને જાહિદ ઉર્ફે છિંગુ રહે છે. રિંકૂ અને આ ચારેય વચ્ચે દશેરા પર રામ મંદિર પાર્કના કાર્યક્રમમાં બબાલ થઇ હતી. આ દિવસથી આ ચારેય લોકો ધમકી આપતા હતા.
સંપૂર્ણ તૈયારી સાથે આવ્યાં હતા
FIR મુજબ આ ચારેય લોકો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. બધા પાસે હથિયાર અને ડંડા હતા. જ્યારે મનુ અને રિંકુ એ કહ્યું કે અહીં મહિલાઓ પણ છે ગાળો ના બોલો. જો કે ત્યારબાદ બબાલ વધતા એક વ્યક્તિએ રિંકુનું ગળુ પકડી લીધુ અને બીજાએ તેના પર ચાકૂથી હુમલો કરી દીધો. જો કે હોસ્પિટલમાં સારવાર દરિયામન રિંકુનું મૃત્યું થયું.
સોશિયલ મીડિયા પર ન્યાયની માંગ ઉઠી
ટવિટર પર #JusticeForRinukSHarma ટ્રેંડ કરી રહ્યું છે. આજે રોજ હેશટૈગ સાથે 2 લાખથી વધારે લોકો ટ્વિટ કરી ચૂક્યાં છે. યૂઝર્સ હતયાને સાંપ્રદાયિક સ્વરુપ આપી રહ્યાં છે.