એપોલો ગ્રુપ ચેરમેન સંગીતા રેડ્ડીએ પણ યોજનાને વખાણી
ઉદ્યોગપતિઓએ બીરદાવી અગ્નિપથ યોજનાને
રિલાયન્સ ઈન્ડ. અને એપોલો ગ્રુપ અગ્નિવીરોને આપશે નોકરી
જ્યારથી કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે ત્યારથી અગ્નિવીરોને નોકરીએ રાખવાની લાઈન લાગી છે. સરકારી વિભાગોથી માંડીને પ્રાઈવેટ સેક્ટર અગ્નિવીરોને નોકરીએ રાખવાની વાત કરી રહ્યાં છે આ ક્રમમાં હવે દેશના મોટા ઉદ્યોગપતિઓ કેન્દ્રની અગ્નિપથ યોજનાના સપોર્ટમાં આવ્યાં છે. મુકેશ અંબાણી, સંગીતા રેડ્ડીથી માંડીને બીજા કેટલાક ઉદ્યોગપતિઓએ અગ્નિવીરોને નોકરીએ રાખવાની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) અને ચેન્નાઇ સ્થિત હેલ્થકેર ગ્રૂપ એપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી માટે જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજનાને ટેકો આપ્યો છે. આરઆઈએલે અગ્નિપથ યોજનાને "કૌશલ્ય, શિસ્ત અને વધુ બાબતોને આત્મસાત કરવાની સાથે-સાથે યુવાનો માટે રાષ્ટ્રની સેવા કરવાની મૂલ્યવાન તક મેળવવા માટે પથપ્રદર્શક પહેલ" તરીકે બિરદાવી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શું કહ્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એવું કહ્યું કે આ યોજના સારી રીતે પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ કાર્યબળ બનાવવામાં મદદ કરશે. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, "રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દાયકાઓથી મોટી સંખ્યામાં ત્રણેય દળો અને અર્ધસૈનિક દળોના ભૂતપૂર્વ સૈનિકને સામેલ કરી રહી છે. અમે અગ્નિવીરોને સક્રિયપણે જોડવા અને અમારી ટીમને વધુ મજબૂત કરવા આતુર છીએ.
The armed forces are very fine institutions and a great training ground.
If a person does four years of national service in the armed forces he or she will finish as a disciplined and a trained professional with a college degree
અમે પણ અગ્નિવીરોને રાખીશું નોકરીએ-સંગીતા રેડ્ડી
એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડો.સંગીતા રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે અગ્નિવિર્સને જે શિસ્ત અને કૌશલ્ય પ્રાપ્ત થશે તે આપણા ઉદ્યોગ માટે બજાર-તૈયાર વ્યાવસાયિક ઉકેલો પ્રદાન કરશે.
તેમણે ફિક્કી ઇન્ડિયા, સીઆઈઆઈ, ટાટા કંપનીઝ, આનંદ મહિન્દ્રા, હર્ષ ગોએન્કા અને એપોલો હોસ્પિટલ્સને ટેગ કર્યા અને લખ્યું, "હું દૃઢપણે માનું છું કે અગ્નિવીરો જે શિસ્ત અને કૌશલ્યો પ્રાપ્ત કરશે તે આપણા ઉદ્યોગ માટે બજાર-તૈયાર વ્યાવસાયિક ઉકેલો પૂરા પાડશે. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે આપણો ઉદ્યોગ આવા સક્ષમ યુવાનોની ભરતીને ટેકો આપે.
The RPG group too welcomes the opportunity to employ the Agniveers. I do hope other corporates will also join us to take this pledge and assure our youths of a future. https://t.co/PE7Hc1y1W9
Saddened by the violence around the #Agneepath program. When the scheme was mooted last year I stated-& I repeat-the discipline & skills Agniveers gain will make them eminently employable. The Mahindra Group welcomes the opportunity to recruit such trained, capable young people