અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની ( RCOM )ના એસેટ્સની ખરીદી માટે તેમા ભાઈ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( RIL ) અને ભારતી એરટેલ સહિત અનેક કંપનીઓ આજે બોલી લગાવી શકે છે.
રિલાયન્સ કમ્યુનિકેશન્સના એસેટના વેચાણને લઈને બિડિંગનો આજે છેલ્લો દિવસ
દેવાળિયા પ્રક્રિયાથી પસાર થઈ રહી છે RCOMની પાસ સ્પેક્ટ્રમ સહિતની અનેક એસેટ્સ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એરટેલ સહિત અનેક કંપનીઓ લગાવી શકે છે બોલી
અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની ( RCOM )ના એસેટ્સની ખરીદી માટે તેમા ભાઈ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( RIL ) અને ભારતી એરટેલ સહિત અનેક કંપનીઓ આજે બોલી લગાવી શકે છે. સોમવારે એટલે કે આજે RCOMના લેણદારોની સમિતિની પણ બેઠક થનારી છે.
આ બોલી આજે જ બંધ થશે અને સાંજ સુધી સમિતિ આ વિચાર માટે ખોલી પણ દેશે. ઈન્સોલ્વેંસી એન્ડ બેંકરપ્શી કોડના આધારે આ ગ્રૂપની જે કંપનીઓ સામેલ કરાઈ છે તેમાં આરકોમ, રિલાયન્સ ટેલિકોમ, રિલાયન્સ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે. રિલાયન્સ ટેલિકોમની પાસે સ્પેક્ટ્રમ છે. જ્યારે રિલાયન્સ ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પાસે ટાવર અને ફાઈબર એસેટ છે. તેના સિવાય અનેક સહાયક કંપનીઓની પાસે આરકોમનું રિયલ એસ્ટેટ અને ડેટા સેંટર કારોબાર છે.
કઈ કઈ કંપનીઓ છે દોડમાં?
મળતી માહિતી અનુસાર સોમવારે આરકોમને માટે 5 બિડર પોતાની બોલી લગાવી શકે છે. મુખ્ય કંપનીઓમાં વર્દે પાર્ટનર્સ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, યૂવી એસેટ રીકંસ્ટ્રક્શન કંપની પણ સામેલ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી કોઈ સહાયક કંપનીની મદદથી બોલી લગાવી શકે છે.
સમિતિએ પહેલાં બિડ લગાવવાની સીમા 10 દિવસ વધારી હતી. ભારતી એરટેલે ત્યારે પોતાની બોલી પાછી ખેંચી લીધી હતી. અને હવે તેના દ્વારા નવી બોલી લગાવવામાં આવે તેવી સંભાવના છે. આ સિવાય પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ આઈ સ્ક્વાયર્ડ કેપિટલ આરકોમના ડેટા સેંટર અને ઓપ્ટિક ફાઈબર એસેટને માટે બોલી લગાવી રહી છે.
કેટલું છે કંપની પર દેવું?
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં લેણદારોએ દાવો કર્યો હતો કે આરકોમની ઉપર તેમના 49000 કરોડ રૂપિયા બાકી છે. એનસીએલટીના આદેશ અનુસાર કંપનીના રિઝોલ્યુશનની પ્રક્રિયા 10 જાન્યૂઆરી 2020 સુધી પૂરી કરવાની છે. આ પહેલાં આરકોમે પોતે જ બધી એસેટ વેચીને ઉધાર ચૂકવવાની કોશિશ કરી હતી. તેના માટે સોદો થઈ શક્યો ન હતો. અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો દ્વારા પણ તેમની એસેટ ખરીદવાની ચર્ચા હતી. પરંતુ રિલાયન્સ જિયોએ આરકોમની એસેટ ખરીદવા માટેની મનાઈ કરી કેમકે તે કંપનીના મોટા દેવાને ચૂકવવા તૈયાર નહતી. સ્વીડનની કંપની એરિક્સનની અરજી પર આરકોમની દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કેમકે કંપની એરિક્સનનું દેવું ચૂકવી શકતી ન હતી.