સુપ્રીમ કોર્ટે શાહિનબાગ પરની પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. કહ્યું કે ધરણાં ક્યારેય પણ ક્યાંય ન કરી શકાય.
સુપ્રીમ કોર્ટે શાહીન બાગ (Shaheen Bagh) મામલે પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ઓક્ટોબર મહીનમાં આપેલા શાહીન બાગના નિર્ણયને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધરણા પ્રદર્શન લોકો પોતાની મરજીથી અને કોઇપણ જગ્યા પર ન કરી શકે. ધરણા પ્રદર્શન લોકશાહીનો એક ભાગ છે પરંતુ તેની પણ એક સીમા છે.
ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ધરણા પ્રદર્શન માટે જગ્યા નિશ્ચિત હોવી જોઇએ, જો કોઇ વ્યક્તિ અથવા સમૂહ (ગ્રુપ-જૂથ) તેની બહાર ધરણા પ્રદર્શન કરે છે તો તે નિયમ મુજબ તેમને દૂર કરવાનો અધિકાર પોલીસ પાસે છે. ધરણા પ્રદર્શનથી આમ જનતા પર કોઇ અસર ના પડવી જોઇએ. ધરણા માટે સાર્વજનિક સ્થાન પર કબ્જો ન કરી શકાય.
આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શાહીન બાગના CAA વિરોધને ગેરકાયદેસર બતાવ્યો હતો. આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર કરવા માટે પડકારવામાં આવ્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી પણ ફગાવી દીધી છે. ત્રણ ન્યાયાધીશ એસ કે કોલ, અનિરુદ્ધ બોઝ અને કૃષ્ણ મુરારીએ અરજી નામંજૂર કરી છે.
2019માં શાહીન બાગ દિલ્હીમાં CAA ના વિરોધમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચી નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહ્યાં હતા. કોરોના વાયરસ મહામારીના કારણે ગત વર્ષે માર્ચમાં લગાવામાં આવેલા લોકડાઉન છતા પ્રદર્શન શાહીન બાગમાં ખત્મ થયું નહોતું. પ્રદર્શનમાં હાજર લોકો અને ટીકાકારો આ કાયદાને 'મુસ્લિમ વિરોધી' બતાવી રહ્યાં હતા.
ખાસ વાત એ છે કે પ્રદર્શનના કારણે દિલ્હીનો ટ્રાફિક ઘણો પ્રભાવિત થયો હતો. ગત ઓક્ટોબરમાં કોર્ટે દિલ્હીના રહેવાસીએ એક જનહિત અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટે ચૂકાદો આપ્યો હતો. આપણે એ સ્પષ્ટ કરવું પડશે કે જાહેર રસ્તા અને સાર્વજનિક જગ્યાઓ પર આ પ્રકારની અને તે પણ અનિશ્ચિતસમય સુધી કબ્જો ન કરી શકાય. લોકશાહી અને અસંતોષ રહે છે, પરંતુ અસંતોષનું પ્રદર્શન નક્કી કરાયેલ જગ્યા પર થવું જોઇએ.