જો આપ પણ કોઈ દારૂડીયા ડ્રાઈવર સાથે કારમાં મુસાફરી કરી રહ્યા છો, તો આપને પણ ભારે મુશ્કેલીનો સામનો કરી પડી શકે છે.
મદ્રાસ હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો
દારૂડીયા ડ્રાઈવર સાથે આપ પણ મુસાફરો કરતા હોવ તો ચેતી જજો
જોઈ લો આ કેસમાં કોર્ટે શું આપ્યો છે ચુકાદો
જો આપ પણ કોઈ દારૂડીયા ડ્રાઈવર સાથે કારમાં મુસાફરી કરી રહ્યા છો, તો આપને પણ ભારે મુશ્કેલીનો સામનો કરી પડી શકે છે. આવા સમયે આપની ધરપકડ પણ થઈ શકે છે. મદ્રાસ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, જો આપ કોઈ કારમાં મુસાફરી કરી રહ્યા છો અને ડ્રાઈવરે દારુ પીધેલો છે અને તમે દારૂ પીધો ન થી, તેમ છતાં પણ આપના પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. જો દારૂડીયા ડ્રાઈવર સાથે આપ કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ જાવ છો, તો આપ પણ આ દુર્ઘટના માટે જવાબદાર ગણાશો.
મદ્રાસ હાઈકોર્ટે આ ચુકાદો એક અકસ્માતના કિસ્સામાં આપ્યો હતો. આ કેસમાં એક મુસાફર દારૂડીયા ડ્રાઈવર સાથે મુસાફરી કરી રહ્યો હતો અને કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ ગયો હતો. બાદમાં તેના વિરુદ્ધ લાપરવાહીનો કેસ નોંધવામાં આવ્યો, જેના વિરુદ્ધ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને પોતાના વિરુદ્ધ લગાવામાં આવેલા કેસ રદ કરવાની માગ કરી હતી.
કોર્ટે અરજી રદ કરી દીધી
જો કે, હાઈકોર્ટે આ શખ્સની અરજી ફગાવી દીધી હતી. આ કિસ્સામાં દારૂડીયા ડ્રાઈવરે 3 લોકો પર ગાડી ચડાવી દીધી હતી. જેના તેમના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને 3 લોકો ઘાયલ થઈ ગયા હતા. ત્યારે કારમાં બે અન્ય શખ્સ પણ બેઠેલા હતા. જેમની લાપરવાહીના કારણે મોત થયા હોવાનું માનવામાં આવ્યું. તો વળી પોલીસે કારમાં સવાર ડ્રાઈવર સહિત ત્રણેય લોકો વિરુદ્ધ લાપરવાહીના કારણે મોતનો કેસ નોધ્યો હતો. કારમાં એક મહિલા અને તેના ભાઈ મુસાફર હતા. જે દુર્ઘટનાનો શિકાર થયા હતા. જેમાંથી 3ના જીવ ગયા હતા. તેમણે આ કેસમા છુટ્ટા કરવાની માગ કરી હતી.
કોર્ટે શું કહ્યું
જો કે, કોર્ટે કહ્યું કે, ત્રણેય આરોપીઓની બરાબર ગુનાહિત જવાબદારી છે, જે એક મુશ્કેલ સમયમાં દારૂડીયા ડ્રાઈવર સાથે નિકળી પડ્યા હતા. ફક્ત એટલા માટે કે એક વ્યક્તિ ગાડી ચલાવી રહ્યો હતો અને અન્ય લોકો બેઠેલા હતાા. તેમાં કોઈ ફરક નથી. આ મામલામાં સવારે 3.30 વાગી રહ્યા હતા અને દુર્ઘટના બીચની નજીક થઈ હતી. જે નશામાં હતા. અને પાર્ટી બાદ લાગે છે કે, ડ્રાઈવરને ગાડી ચલાવવા માટે ઉકસાવ્યો હતો. ત્યારે આવા સમયે તેમના પર કલમ 111 અને 113 અંતર્ગત મામલો બને છે.