અમદાવાદના કાંકરિયાના બાલવાટિકા પાસે રાઈડ તૂટતા 2 લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના કાંકરિયાના બાલવાટિકા પાસે રાઈડ તૂટતા 2 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતું. ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે DCP પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. AMC કમિશ્નર પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ દુર્ઘટના બની ત્યારે 32 લોકો રાઈડમાં સવાર હતા. મુલાકાતીઓ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા. આ રાઈડ તૂટતા લોકો નીચે પડકાયા હતા. રાઈડના કૂચરા બોલી ગયા છે. બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં મનાલી વી. રજવાડી(24 વર્ષ) અને મહમદ જાહીદ આર મોમીન(22 વર્ષ) સામેલ છે.
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, જમીનથી આ રાઈડની હાઇટ 60 ફૂટની છે. પાઇપનો વચ્ચેનો ભાગ તૂટતા આ દુર્ઘટના બની છે. જેને લઇને લોકો નીચે પડકાયા હતા. 32ની રાઇડ છે તેમાં 31 લોકો બેઠા હતા. જેમાં નાના બાળકો અને મહિલાઓને વધુ ઇજા પહોંચી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાઇડનું મેઇન્ટેનન્સ કંપલીટ થઇ ચૂક્યું હતું. કોઇ ઊછળીને બહાર પડ્યું નથી પરંતુ લોકો સીટોમાં ફસાયા હતા જેને લઇને પછડાતા ઇજા પહોંચી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
રાઈડ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા એલ.જી હોસ્પિટલ પહોંચ્યા હતા. કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની દુર્ઘટનાને લઇ CM વિજય રૂપાણીએ આપ્યાં તપાસનાં આદેશ આપ્યા છે. આ મામલે સંચાલક ઘનશ્યામ પટેલની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. તો વિજય નેહરાએ કહ્યું હતું કે, જવાબદારો સામે પગલાં લેવાશે. જ્યારે મેયર બિજલ પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે. વિજય નેહરાનું નિવેદનઃ જવાબદારો સામે પગલાં લેવાશે
મનપા પર બેદરકારીનો આરોપ
અમદાવાદમાં રાઈડ તુટવા મુદ્દે કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નાતાઓે મનપાની ગંભીર બેદરકારી ગણાવી હતી અને જવાબદારો સામે તાત્કાલિક પગલા ભરવાની માગ કરી હતી.
કોંગ્રેસ નેતા શૈલેશ પરમારનું નિવેદન
અમદાવાદમાં કાંકરિયામાં રાઈડ્સ તૂટવાનો મામલે કોંગ્રેસના નેતા શૈલેશ પરમારે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ફરી એકવાર આ પ્રકારની ઘટના કાંકરિયામાં બની છે. કોર્પોરેશને યોગ્ય પગલાં લઇને કાર્યવાહી કરવી જોઈએ.
અર્જૂન મોઢવાડિયાનું નિવેદન
કાંકરિયામાં રાઈડ્સ તૂટવાનો મામલે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, શહેરના ખૂબ જ દુઃખ ઘટના બની છે. કોર્પોરેશન અને સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. ખાનગીકરણનાં કારણે આવા બનાવો સામે આવે છે.