બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ભારત લેશે અમદાવાદનો બદલો! 4 મોટા ખેલાડી બોલ્યાં- 'ફાઈનલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા'

ચેમ્પિયન્સ ટ્રોફી / ભારત લેશે અમદાવાદનો બદલો! 4 મોટા ખેલાડી બોલ્યાં- 'ફાઈનલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા'

Last Updated: 09:32 PM, 4 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

19 ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલી ચેમ્પિયન્સ ટોફીની સેમી અને ફાઈનલને લઈને મોટી આગાહી સામે આવી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી નજીકમાં છે. 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં શરુ થઈ રહી છે ત્યારે તેની ફાઈનલ અને સેમી ફાઈનલને લઈને મોટી આગાહી સામે આવી છે. સૌરવ ગાંગુલી, રીકી પોન્ટિંગ, વસીમ અકરમ અને રવિ શાસ્ત્રીએ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ અને સેમી ફાઈનલને લઈને મોટી આગાહીઓ કરી છે.

શું બોલ્યો રિકી પોન્ટિંગ

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ભારત અને ઓસ્ટ્રેલિયાની સાથે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં પહોંચવાની ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. પૂર્વ ભારતીય ખેલાડી રવિ શાસ્ત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ ફાઈનલમાં રમાશે.

શું બોલ્યો વસીમ અકરમ

યજમાન પાકિસ્તાન દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા અંગેના પ્રશ્નના જવાબમાં, ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ થાય, પરંતુ પાકિસ્તાન માટે તે સરળ નહીં હોય. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં યોજાશે. જ્યાં સુધી મેં જોયું છે, દુબઈની પિચ સરળ નહીં હોય. મને લાગે છે કે ટીમમાં સ્પિનર ​​હોવાથી ફરક પડશે. મારી ભાવના એવી છે કે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચવું જોઈએ. વસીમ અકરમને લાગી રહ્યું છે ભારતની સંભાવના વધુ ઉજળી છે.

ગાંગુલીએ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને સ્થાન ન આપ્યું

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતના સેમિફાઇનલમાં પહોંચવાની આગાહી કરતી વખતે, બાકીની ત્રણ ટીમોમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડનો સમાવેશ કર્યો છે. ગાંગુલીએ સેમિફાઇનલમાં પહોંચનાર ટીમોની યાદીમાં પાકિસ્તાન સાથે ન્યુઝીલેન્ડનો સમાવેશ કર્યો નથી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કયા અનુભવીની આગાહી એકદમ સાચી પડે છે.

ભારતની જીતના આ રહ્યાં કારણો

19 ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની જીતને લઈને એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત આ વખતની ટ્રોફી જીતે તેવી પ્રબળ સંભાવના છે. કારણ કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો પાકિસ્તાનમાં નહીં પરંતુ દુબઈમાં રમવાનું છે અને દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ભારત માટે ખૂબ અનૂકુળ રહ્યું છે. તે ઉપરાંત ગ્રુપ એમાં ભારતની સાથે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ છે જે બધા પર જીતનો ભારતનો રેકોર્ડ છે એટલે દેશોને કચડીને ભારત સેમી અને ફાઈનલમાં પહોંચી શકે છે. ભારત તેની તમામ મેચો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવાનું છે જે એક મોટો પ્લસ પોઈન્ટ છે. ભારતની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે છે.

2013માં ભારતે જીતી હતી ચેમ્પિયન્સ ટ્રોફી

છેલ્લે 2013માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 23 જુન 2013ના દિવસે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાઈ હતી જેને ભારતે જીતી લીધી હતી ત્યાર પછી ભારત આ ટ્રોફી જીતી શક્યું નથી.

19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી

મિનિ વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં રમાશે. ભારતની તેની તમામ મેચ દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીએ પહેલી મેચ રમશે.

ભારતે લેશે વનડે વર્લ્ડ કપ હારનો બદલો

ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બર 2023ના દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવીને વનડે વર્લ્ડ કપ જીતી લીધો હતો જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચે તો તેને માટે ઓસ્ટ્રેલિયાને હરાવીને અમદાવાદનો બદલો લઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Champions Trophy champions trophy 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ