વડોદરાઃ રેલવે સ્ટેશન પર રીક્ષા પાર્કિંગ ચાર્જના મુદ્દે રીક્ષા ચાલકોએ આંદોલન છેડ્યું છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ ભર્યા વગર તમામ રીક્ષાઓ પાર્કિંગમાં મૂકી દીધી હતી. DMRના નામના ચૂત્રોચ્ચાર કર્યા હતા.
રેલવે દ્વારા લાગુ કરાયેલા પાર્કિંગ ચાર્જનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા રેલવે સ્ટેશન પર 19 ફેબ્રુઆરીથી પેસેન્જર લેવા આવતા કોમર્શિયલ વાહનો પર પાર્કિગ ચાર્જ વસૂલવાની શરૂઆત કરાઇ છે.
જેટલો સમય વાહન રોકાય તે પ્રમાણેનો ચાર્જ નક્કી કરીને રેલવે વિભાગે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.