આ સિવાય તેને કુરાનની પાંચ નકલો દાન કરવાનો પણ આદેશ જજે આપ્યો. પાંચમાંથી એક નકલ ફરિયાદીને અને બાકીની ચાર નકલો શાળા-કોલેજો અથવા વિશ્વવિદ્યાલયોમાં દાન કરવાનું કહેવામાં આવ્યું છે.
ઋચાએ આ કામ 15 દિવસોની અંદર કરવાનું રહેશે. ઋચાના જામીન એક સ્થાનિક વ્યક્તિ અને બીજા સંબંધી હશે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી મંસૂર ખલીફા, સદર અંજુમન કમેટી, પિઠોરિયાએ 12 જૂલાઇએ સ્ટેશનમાં કાંડ સંખ્યા 58/2019 દાખલ કરાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે આરોપીએ સોશિયલ સાઇટ પર ધર્મ વિશે પોસ્ટ કરી હતી. જેમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરી હતી.
બીજી બાજુ હિંદુ જાગરણ મંચ સહિત કેટલાક અન્ય ધાર્મિક સંગઠનોએ ઋચાની ધરપકડને ખોટી ગણાવતા રવિવારે રાંચીમાં વિરોધ માર્ચ કરી હતી. સંગઠન ઋચાને છોડાવવા માટે અને પિઠોરિયા સ્ટેશન પ્રભારી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. મંગળવારે ફરીથી હિંદુ સંગઠનો દ્વારા માર્ચ કરવાની વાત સામે આવી હતી.
ઋચા ભારતીને કોર્ટની જામીનની શરતો પર ખેદ છે. તે હાઇકોર્ટમાં અપીલ કરશે. સોશિયલ સાઇટ ફેસબુક પર ધર્મ વિશેષ વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે ઋચા ભારતીને રાંચીને સિવિલ કોર્ટે શરતી જામીન આપ્યા છે. જેલ બહાર આવ્યા બાદ ઋચાના પરિવારજનોમાં આનંદ છવાયો હતો. ઋચાએ મંદિરમાં જઇને પૂજા પણ કરી પરંતુ શરતો પર ખેદ વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય છે કે 12 જૂલાઇએ સાંજે ફેસબુક પર ધર્મ વિશેષ પર કરવામાં આવેલ ટિપ્પણીઓ પર લાઇક કરવાને લઇને પિઠોરિયા સ્ટેશન દ્વારા એક યુવતી ઋચા ભારત ઉર્ફ ઋચા પટેલ પર તાત્કાલિક કાર્યવાહીક રી અને તેની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધી હતી.ત્યાર બાદ પિઠોરિયાના ગ્રામજનોએ આક્રોષમાં આવીને પિઠોરિયા સ્ટેશનની ઘેરાબંધી કરી હતી.