સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાને દૂર કરવાની સાથે તેનું સેવન કરવાથી સ્કિન અને વાળની સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ
બ્લડ સર્કુલેશન માટે પણ છે ફાયદાકારક
જાણો તેના ફાયદાઓ વિશે
ભાતનું ઓસામણ (Rice Water) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાને દૂર કરવાની સાથે તેનું સેવન કરવાથી સ્કિન અને વાળની સમસ્યાઓમાં પણ રાહત મળે છે. કબજીયાત અને ડિહાઈડ્રેશનની સમસ્યા માટે પણ તે રામબાણ ઈલાજ છે.
કાર્બોહાઈડ્રેટની ભરપુર માત્રા
ચોખાનું પાણી એક એનર્જી બુસ્ટર ડ્રિંકની જેમ કામ કરે છે. તેમાં કાર્બોહાઈડ્રેટની ભરપૂર માત્રા હોય છે. જેનો તમને ફાયદો મળે છે. ચોખાના પાણીને મીઠા અને કાળી મરીની સાથે પીવો. તમને તેનો ફાયદો મળશે.
લો બ્લડ પ્રેશર માટે ફાયદાકારક
ચોખાનું પાણી પીવાથી બ્લડ સર્કુલેશન ઠીક થાય છે. તેનાથી લો બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થશે. મીઠુ નાખીને ભાતનું ઓસામણ પીવાથી ફાયદો થશે.
ડાયજેશન માટે
ચોખાના પાણીનો ઉપયોગ ડાયજેશનને પણ ઠીક રાખે છે. ઉકળતા ચોખાના પાણીમાં ફાઈબરની ભરપૂર માત્રા હોય છે. તેને પીવાથી અપચાની સમસ્યા દૂર થાય છે.
વાળના ખરવાની સમસ્યા
ભાતનું ઓસામણ વાળના ખરવાની સમસ્યાને પણ દૂર કરે છે. વાળ સફેદ થઈ રહ્યા હોય અથવા વાળની ચમક ઓછી થઈ રહી છે તો તેનાથી ચોખાવું પાણી ફાયદો પહોંચાડશે. વાળને આ પાણીથી ધોવો.
વાયરલ તાવમાં મળશે રાહત
ચોખાના ઓસામણમાં વિટામિન બી, સી અને ઈની સારી માત્રા હોય છે. આ બધી વસ્તુઓ થાકને દૂર કરે છે અને તમને એનર્જી આપે છે. વાયરલ તાવમાં ભાતનું ઓસામણ દવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં પાણીની કમી પુરી થાય છે અને પ્રતિરોધક ક્ષમતા (Immunity) મજબૂત થાય છે.