ભારતની સ્વદેશી રસીકોવેક્સિનને વિશ્વના અનેક દેશોએ મંજૂરી આપી છે. પરંતુ શું તમે જાણો છો કેકોવેક્સિનના ટ્રાયલમાં રીસસ મકાક બંદરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘ગોઈંગ વાયરસ: મેકિંગ ઓફ કોવૈક્સિન ધ ઈનસાઈડ સ્ટોરી’ નામની પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં ICMRના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવ ભારતની સ્વદેશી રસીના ટ્રાયલ અને અપ્રૂવલ અંગે કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો છે. જે અંગે કોઈને ખબર નથી.
કોવેક્સિનની કહાનીમાં 20 બંદર હીરો
આ પુસ્તકમાં ICMRના મહાનિર્દેશકે કોરોનાની વિરુદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોના પડકારો, વૈક્સીનના નિર્માતા માટે એક મજબૂત પ્રયોગશાળા નેટવર્કનો વિકાસ, ડાઈગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને સીરોસર્વેથી લઈને નવી ટેક્નીકોની સાથે સાથે અનેક મહત્વની વાતોનો ખુલાસો કર્યો છે. ડો. ભાર્ગલે કહ્યું કે એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કેકોવેક્સિનની સફળતાની કહાનીમાં હીરો ફ્ક્ત માણસ નથી કેમ કે આમાં 20 બંદરોનું પણ યોગદાન છે.
રીસસ મકાક બંદરો આ પ્રકારના પરિક્ષણ માટે સૌથી સારા માનવામાં આવે છે
જેના કારણે આપણામાંથી લાખો લોકોની પાસે જીવનનું સુરક્ષા કવચ છે. પુસ્તકમાં આગળ કહેવામાં આવ્યું છે કે આપણે એ સ્તર પર પહોંચ્યાં જ્યાં આપણે જાણતા હતા કે રસી નાના જાનવરોમાં એન્ટી બોડી બનાવી શકે છે તો નેક્સ સ્તર પર મોટા જાનવરો પર પરિક્ષણ કરવાનું હતુ. જેમના શરીરની સંરચના અને પ્રતિરક્ષા પ્રણાલી મનુષ્યોને મળતી જુલતી છે. દુનિયા ભરમાં મેડિકલ અનુસંધાનમાં ઉપયોગ માટે લેવાતા રીસસ મકાક બંદરો આ પ્રકારના પરિક્ષણ માટે સૌથી સારા માનવામાં આવે છે.
વિદ્ધન એ હતુ કે આ રીસસ મકાક બંદરો ક્યાંથી લાવવા કેમ કે ભારતમાં...
કૌવેક્સીનના નિર્માણની કહાની અંગે આગળ જણાવતા ડો. ભાર્ગવે કહ્યું કે ICMR- નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીનું સ્તર 4 પ્રયોગશાળા, જે પ્રાઈમેટ સ્ટડી માટે ભારતમાં એક માત્ર અધ્યાધુનિક સુવિધા છે. જેણે એકવાર ફરી મહત્વપૂર્ણ રિસર્ચ કરવાના પડકારને સ્વીકાર કર્યો. આ બાદ સૌથી મોટું વિદ્ધન એ હતુ કે આ રીસસ મકાક બંદરોને ક્યાંથી લાવવામાં આવે. કેમ કે ભારતમાં લેબોરેટ્રીજ બ્રીડ વાળા રીસસ મકાક નથી. આ માટે નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના રિસર્ચકોએ સંપૂર્ણ ભારતમાં અનેક પ્રાણી સંગ્રહાલયો અને સંસ્થાનોના સંપર્ક કર્યા. પરંતુ યુવાન બંદોરોની જરુર હતી. જેમાના શરીરમાં એન્ટીબોડી સારી હોય.
જંગલોને સ્કેન કરી નાગુપુરમાં બંદરોને ટ્રેક કર્યા
રસીના ટ્રાયલ માટે ICMR- એનઆઈવીની એક ટીમ બંદરોની ઓળખ કરવા અને તેમને પકડવા માટે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની મુલાકાત કરી. તેમણે જણાવ્યું કે લોકડાઉનના કારણે આ બંદરોને ભોજનનું સંકટ પૈદા થઈ રહ્યું હતુ. જેના કારણે તે ગાઢ જંગલમાં ચાલ્ય ગયા હતા. જે બાદ વૈજ્ઞાનિકોની મદદ માટે મહારાષ્ટ્રના વન વિભાગના વર્ગ કિલોમીટર જંગલોને સ્કેન કરી નાગુપુરમાં બંદરોને ટ્રેક કર્યા.