એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં બુધવારે રિયા ચક્રવર્તીને સવારે ભાયખલા જેલ મોકલી દેવામાં આવી હતી. મુંબઇના એક સ્થાનિય મેજીસ્ટ્રેટે રિયાને મંગળવારે મોડી રાત્રે 14 દિવસની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદથી રિયાને લૉક-અપમાં જ રાખવામાં આવી હતી.
રિયાને મળી શકે છે જામિન
આજે રિયા રહેશે જેલમાં
રિયાના વકીલ સતીશે કહ્યું કે રિયા અને તેના ભાઇ શોવિકના જામિન યાચિકા પર આવતી કાલે સુનાવણી થશે. જેનો અર્થ છે કે રિયાને આજની રાત પણ જેલમાં જ કાઢવી પડશે.
તમને જણાવી દઇએ કે, નાર્કોટિક્સ વિભાગે રિયાની મંગળવારે ધરપકડ કરી હતી. બાદમાં તેને 14 દિવસ કસ્ટડીની માગ કરવામાં આવી હતી જે મંજૂર થઇ ગઇ છે. ડ્રગ્સ કનેક્શનની તપાસ કરતી વખતે બપોરે 3.30 વાગે રિયાની ધરપકડ કરી હતી.
રિયાની ધરપકડ કલમ 8સી, 20બી2, 22, 27એ, 28 અને 29 હેઠળ ડ્રગ એન્ગલમાં કરવામાં આવી છે. આ સિવાય રિયાએ એનસીબીને જે જાણકારી આપી તે તેની ધરપકડ માટે પૂરતી હતી.
એનસીબીએ 6 પાનાના રિમાન્ડ આવેદનમાં રિયા ડ્રગ્સ સપ્લાયર તરીકે વર્ણવવામાં આવી હતી. જે સુશાંત સાથે ડ્રગ્સ ખરીદવા માટે પૈસા એકઠા કરતી હતી, તેણે ઉલ્લેખ નહોતો કર્યો કે તો પોતે ડ્રગ્સ લેતી હતી કે નહી.
આવા માહોલ વચ્ચે રિયાના વકીલે નિવેદન આપ્યુ કે, દેશની ટોચ 3 એજન્સીઓ એક મહિલા સાથે પૂછપરછ કરી રહી છે, કારણકે તે એક ડ્રગ એડિક્ટ અને માનસિક બિમાર વ્યક્તિને પ્રેમ કરતી હતી. જેણે ડ્ર્ગ્સના કારણે આત્મહત્યા કરી લીધી.