સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે કે આ કેસના સમીકરણો પણ દિવસેને દિવસે બદલાઇ રહ્યા છે, આ સાથે પોલીસ કાર્યવાહી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં જ એક ન્યૂઝ પોર્ટલે કરેલા સ્ટિંગ ઓપરેશન ખુલાસો થયો છે કે, જેના કારણે રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં વધુ એક વણાંક
રિયા સુશાંતના મોત બાદ ગઇ હતી શબ ગૃહની મુલાકાતે
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે એક ન્યૂઝ પોર્ટલે દાવો કર્યો છે કે સુશાંતના મૃત્યુ બાદ, રિયાએ તે શબ ગૃહની મુલાકાત લીધી હતી જ્યાં સુશાંતનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે સુશાંતનું કૂપર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવામાં આવ્યું હતું. ત્યારે, સમાચાર મુજબ, રિયાએ આ જ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાં 45 મિનિટ વિતાવી હતી. હવે આશ્ચર્યજનક છે કે રિયાને કેવી રીતે શબ ગૃહમાં જવાની પરવાનગી મળી. સુશાંતના પરિવારજનોને ત્યાં જવાની મંજૂરી ન હોવાના સ્થળે રિયા કેવી રીતે પહોંચી હતી?
શબ ગૃહના અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
ન્યૂઝ પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં, એક અધિકારી કહે છે - રિયાની ગેરકાયદેસર એન્ટ્રી થઈ હતી. એમ પણ કહેવામાં આવે છે કે આ કામમાં તેમને મુંબઈ પોલીસનો સહયોગ મળ્યો હતો. જો આ સ્ટિંગ ઓપરેશન સાચી સાબિત થાય છે તો રિયાની મુશ્કેલીઓ વધારવાની છે. આ સિવાય મુંબઈ પોલીસની તપાસ પર પણ સવાલો ઉભા થશે.
સુશાંતના વકીલનો સવાલ
જો કે, આ વિવાદ અંગે સુશાંતના વકીલ વિકાસ સિંહે રિએક્શન આપ્યું છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, ક્યાં આધારે રિયાને શબ ગૃહમાં જવાની મંજૂરી કોણે આપી. તેમણે સવાલ પણ ઉઠાવ્યો કે, જો રિયા પોતે સુશાંતને 8 જૂનના રોજ છોડીને ચાલી ગઇ હતી તો ફરી તેના મોત બાદ શબ ગૃહમાં કેમ ગઇ ?