હવે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટો ખુલાસો થયો છે. 8 જૂને રિયા સુશાંતના ઘરે ગઈ ત્યારે તેણે ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે વાતચીત કરી હતી.
રિયાએ સુશાંત સાથેના સંબંધો અંગે મહેશ ભટ્ટ સાથે ઘણી વાતો કરી હતી તે ચેટ વાયરલ થઇ છે તેવા અહેવાલો સામે આવ્યા છે. આ અહેવાલો સામે આવતાની સાથે જ આવી અટકળો થઈ રહી છે કે રિયાએ જાતે જ સુશાંત સાથેના સંબંધો તોડી નાંખ્યા હતાં.
અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે રિયા 8 જૂને સુશાંતના કહેવા પર તેના ઘરની બહાર નીકળી ગઈ હતી. રિયાએ પોતાના નિવેદનોમાં પણ કહ્યું છે કે તે આવું કરીને ખુશ નથી. તે સમયે સુશાંતની બહેન મીતુસિંહ તેના ઘરે આવવાનું કારણ બતાવવામાં આવ્યું હતું.
પરંતુ હવે રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ લીક થઈ ગઈ છે, તે કહે છે કે તેણે સુશાંતને જાતે જ છોડી દીધો હતો. આટલું જ નહીં, રિયા સુશાંતથી પણ ખુશ નહોતી.
મહેશ ભટ્ટના કહેવાથી રિયાએ સંબંધ તોડી નાખ્યો?
8 જૂને સુશાંતના ઘરેથી નીકળ્યા પછી, રિયાએ મહેશ ભટ્ટને મેસેજ કર્યો અને લખ્યું - આયેશા ભારે હૃદય અને શાંતિથી આગળ આગળ વધી ગઈ છે. તમારી સાથેની છેલ્લી વાતચીતે મારી આંખો ખોલી. તમે મારા ઍન્જેલ છો. તમે ત્યારે પણ હતા અને આજે પણ છો.
હવે પાછું ન જોતી : મહેશ ભટ્ટ
જ્યારે રિયાના આ મેસેજ પર મહેશ ભટ્ટે આપેલી પ્રતિક્રિયા આશ્ચર્યચકિત કરનારી છે. તેમણે રિયાને જવાબ આપતી વખતે લખ્યું - હવે પાછું ન જો. તારા પપ્પાને મારો પ્રેમ આપજે. હવે તેઓ ખૂબ ખુશ થશે. હવે મહેશ ભટ્ટનું ચૅટ દરમ્યાન રિયાના પિતાને વચ્ચે લાવવાનું એ દર્શાવે છે કે એક્ટ્રેસના પિતા આ સંબંધથી ખુશ ન હતાં. તેઓ રિયાને સુશાંત સંગ જોવા માંગતા ન હતાં.
તમે મારા જીવનમાં ભગવાન જેવા છો : રિયા
વાયરલ ચેટમાં રિયા સતત મહેશ ભટ્ટનો આભાર માની રહી છે, તે તેમને જણાવી રહી છે કે તેમણે તેને ઘણી મદદ કરી છે. સંદેશમાં રિયાએ મહેશ ભટ્ટને લખ્યું છે કે - તમે મને ફરીથી મને આઝાદ કરી છે, તમે મારા જીવનમાં ભગવાન જેવા છો. આ સાથે જ મહેશ ભટ્ટ રિયાને તેની પુત્રી પણ કહી રહ્યો છે. તેઓ રિયાના વખાણ કરી રહ્યા છે કે તેણે આટલી હિંમત બતાવી.
CBI હવે આ મામલે પણ કરી શકે તપાસ
એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયાએ આ સંબંધમાં તેના કેટલાક મિત્રો સાથે વાત પણ કરી હતી. આવી સ્થિતિમાં CBIએ હવે 8 જૂનના રોજ જે બન્યું તેના આ પરિબળની પણ તપાસ કરશે કે એવું તો શું બન્યું કે રિયા સુશાંતનું ઘર છોડીને ગઈ. આવામાં આ સમયે જરૂરથી રિયાની આ ચૅટ કોઈ નવી કહાની દર્શાવી રહી છે પરંતુ લાંબા સમય સુધી મોટા ભાગે રિયાના વકીલની વાતો પર વિશ્વાસ કર્યો હતો. તે સમયે એવું જણાવવામાં આવ્યું હતું કે રિયા ખુદ સુશાંતના ડિપ્રેશનના કારણથી પરેશાન હતી. તેને પણ ડિપ્રેશન થવા લાગ્યું હતું. તે તો સુશાંતને છોડવા માટે તૈયાર ન હતી પરંતુ હવે રિયાની મહેશ ભટ્ટની સાથે વાતચીતે સ્પષ્ટ કરી દીધું છે કે તે સુશાંત સાથે ખુશ ન હતી અને મહેશ ભટ્ટના કહેવા પર તેણે સુશાંત સાથે સંબંધ ખત્મ કર્યો.