સુશાંત સિંહ રાજપૂતનાં પરિવારે બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR નોંધાવી છે. ત્યારબાદ, રિયા ચક્રવર્તીએ પહેલીવાર વીડિયો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. રિયાએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, તેને ભગવાન પર પૂરો વિશ્વાસ છે અને તે ન્યાય કરશે.
સુશાંત સિંહ રાજપૂતના પરિવારે નોંધાવેલ ફરીયાદ બાદ પ્રથમ વખત રિયા ચક્રવર્તીનું નિવેદન
વીડિયો સંદેશ દ્વારા કહ્યું, મને ન્યાય મળશે
વીડિયોમાં રિયા કહી રહી છે કે, "મને ભગવાન અને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે. મારું માનવું છે કે મારી સાથે ન્યાય થશે. મીડિયામાં મારી વિરુદ્ધ ખૂબ જ ઉગ્ર વાટાઘાટો થઈ રહી છે પરંતુ વકીલની સલાહને કારણે હું આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી રહી નથી." સત્યમેવ જયતે! સત્ય બહાર આવશે. "
સુશાંત સિંહ રાજપૂત કેસમાં EDએ નોંધ્યો કેસ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કેટલાક અન્ય લોકો સામે દાખલ એફઆઈઆરની નકલ મોકલવા માટે બિહાર પોલીસને કહ્યું હતું. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે આ કેસમાં નાણાં પડાવવાની તપાસ માટે એફઆઈઆરની નકલ માંગવામાં આવી છે.
She says, "I've immense faith in God & the judiciary. I believe that I'll get justice...Satyameva Jayate. The truth shall prevail." pic.twitter.com/Fq1pNM5uaP
ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહ (74) એ મંગળવારે રિયા ચક્રાવતી, તેના પરિવારના સભ્યો અને છ અન્ય લોકો સામે પુત્રને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના આરોપમાં એફઆઈઆર નોંધાવી હતી.
સુશાંતના પિતાએ રિયા પર લગાવ્યા આરોપ
સુશાંતના પિતાએ કહ્યું કે, રિયાએ પોતાનું કેરિયર આગળ વધારવા માટે મે 2019 તેના દીકરા સાથે મિત્રતા વધારી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇડી રાજપૂતના ધન અને તેના બેંક ખાતાના કથિત ખાતાના દુરઉપયોગના આરોપની તપાસ કરવા ઇચ્છે છે.
મુંબઇ પોલીસ પહેલેથી જ કરી રહી છે તપાસ
એજન્સી એ પણ તપાસ કરશે કે શું કોઈએ રાજપૂત નાણાંનો ઉપયોગ કાળા નાણાને સફેદમાં રૂપાંતરિત કરવા અને ગેરકાયદેસર સંપત્તિ બનાવી છે. ઇડી આરોપીની સંપત્તિ જોડી શકે છે અને તેને પીએમએલએ હેઠળ આરોપીની ધરપકડ કરવાનો પણ અધિકાર છે. સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં મુંબઇ પોલીસ પહેલેથી જ તપાસ કરી રહી છે.