સુશાંત સિંહ રાજપૂતની મોતે બોલિવૂડના ઘણાં પ્રોડ્યૂસર્સ અને ડિરેક્ટર્સ પર સવાલો ઊભા કરી દીધા છે. આ મામલે બાન્દ્રા પોલીસે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું સ્ટેટમેન્ટ લઈ લીધું છે. લગભગ 9 કલાક ચાલેલી પૂછપરછમાં ઘણાં સવાલોના જવાબ સામે આવ્યા છે. આ દરમિયાન રિયાએ યશરાજ ફિલ્મ્સના કોન્ટ્રાક્ટને લઈને મોટો ખુલાસો કર્યો છે.
સુશાંતના મોત બાદ એક પછી એક ખુલાસા
રિયા ચક્રવર્તીઓ યશરાજ ફિલ્મ્સને લઈને જણાવી મોટી વાત
રિયાએ તેના નિવેદનમાં જણાવ્યું કે સુશાંતે યશરાજ સાથે તેનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો હતો. સુશાંતે રિયાથી પણ તેનો કોન્ટ્રાક્ટ ખતમ કરવાનું કહ્યું હતું. રિયાનું આ નિવેદન ખોટું પણ સાબિત થઈ શકે છે, કારણ કે આ પહેલાં કહેવાઈ રહ્યું હતું કે યશરાદ ફિલ્મ્સે સુશાંતની સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જ્યારે રિયાનું આ સ્ટેટમેન્ટ સાવ અલગ જ કહાની જણાવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગુરૂવારે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં રિયા સહિત સુશાંતની પીઆર મેનેજર રાધિકા નિહલાની અને પૂર્વ મેનેડજર શ્રુતિ મોદી પણ સ્ટેટમેન્ટ આપવા હાજર થયા હતા. આ સિવાય સુશાંતના મિત્ર મહેશ શેટ્ટી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી.
આ લોકો પર કરવામાં આવ્યો કેસ
ઉલ્લેખનીય છે કે, સુશાંતે 14 જૂને તેના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેની મોત પર બોલિવૂડ જગત પર ઘણાં આરોપો લાગહી રહ્યાં છે અને ઘણાં સવાલો સામે આવી રહ્યાં છે. યશરાજ ફિલ્મ્સ સિવાય, કરણ જોહર, એકતા કપૂર, સલમાન ખાન, સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગજ સ્ટાર્સ સામે કેસ કરવામાં આવ્યો છે. હાલ સુશાંતની મોતનું અસલી કારણ સામે આવ્યું નથી, જેથી પોલીસ આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે.