સુશાંત સિંહ રાજપૂતની મોત આત્મહત્યા છે કે હત્યા તેને સાબિત કરવા માટે CBI એડીચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ એક બાદ એક નવા વળાંકો આ કેસમાં આવી રહ્યાં છે. સૌથી મોટો પ્રશ્ન આ કેસમાં સુશાંતના પિતાએ ઉઠાવ્યો છે કે રિયાએ સુશાંતની હત્યા કરી છે. તો રિયા પણ પોતાના બચાવમાં હવે સામે આવી છે.
સુશાંતના પિતાએ રિયાને ગણાવી હત્યારી
રિયાએ પોતાના બચાવમાં આપ્યો ઇન્ટરવ્યૂ
ડ્રગ ડિલર સાથે રિયાની ચૅટ વાયરલ
સુશાંતના પિતાએ તો રિયાને હત્યારી ઘોષિત કરી દીધી છે. તો બીજી તરફ રિયા ચક્રવર્તીએ પોતાના બચાવ માટે મૌન તોડ્યુ છે. દિગ્ગજ પત્રકાર રાજદીપ સરદેસાઇને ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેમણે ટ્વિટ કરી છે કે, મારો વાંક બસ એટલો જ છે કે મે સુશાંતને પ્રેમ કર્યો, કોઇ પણ તપાસ એજન્સી મને પ્રશ્ન પૂછશે તો હું તૈયાર છું.
રાજદીપ સરદેસાઇએ બીજી ટ્વિટ કરીને કહ્યું કે, કોણ નિર્દોષ છે અને કોણ દોષી તે નિર્ણય કરવો ટીવી ચેનલોનું કામ નથી.
રિયા વિરુદ્ધ નાર્કોટિક્સમાં કેસ ફાઇલ
રિયા અને ડ્રગ ડિલરની ચૅટ વાયરલ થતા અભિનેત્રી સુશાંતના ઘરનો મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, જયા સાહા અને ગૌરવ આર્યા વિરુદ્ધ નાર્કોટિક્સ બ્યૂરોએ કેસ દાખલ કર્યો છે. સાથે જ બોલિવૂડના ખાન KRKએ પણ ટ્વિટ કરીને કહ્યું કે સુશાંતના મોત બાદ તેના 2 લોકર ખોલવામાં આવ્યા હતા.
રિયા છે અસુરક્ષિત
હવે જ્યારે રિયા અને તેના પરિવારને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે તો રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મિડીયા તેને ફૉલો કરે છે અને તેમના પરિવારને હેરાન કરવામાં આવે છે. રિયાએ પણ આ મુદ્દે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે કે તેના પરિવારને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે.
રિયાએ બીજો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યુ છે કે, આ અમારા બિલ્ડીંગનો સિક્યોરીટીનો માણસ છે, મિડીયા એ તેને ઇજા પહોંચાડે છે અને આ માટે કોઇ કાયદો છે કે નહી. મિડીયા મારા બિલ્ડિંગમાં જબરજસ્તી ઘૂસવાનો પ્રયત્ન કરે છે, આ ઘટનાઓ માટે જવાબદાર કોણ. સાથે જ તેણે #justiceforram નામનુ હેશટેગ પણ યુઝ કર્યું છે
ભારતીય કાયદા પ્રમાણે કોઇ વ્યક્તિનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તેને ગુનેગાર માની ન શકાય, જ્યારે રિયા સાથે ગુનેગાર જેવુ વર્તન થઇ રહ્યું છે. બે મહિલા તેના બિલ્ડિંગમાં ઘૂસી આવી અને તેના પરિવાર પર આરોપ લગાવવા લાગી કે તેનો પરિવાર કાળોજાદૂ કરે છે. તે બંને મહિલાઓેને પણ બિલ્ડિંગની બહાર કાઢવામાં આવી. રિયા આ પ્રકારના વીડિયો અને વિચારો પોતાના સોશ્યલ મિડીયા પર મૂકી રહી છે.
હવે સુશાંત કેસમાં CBI શું રિપોર્ટ ફાઇલ કરે છે તે જોવું રહ્યું.