સુશાંત સિંહ કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસાઓ થઇ રહ્યા છે જેના કારણે રહસ્ય વધી રહ્યું છે ત્યારે આજે પહેલીવાર રિયા ચક્રવર્તીએ મૌન તોડ્યું અને ઘણા મોટા નિવેદન આપ્યા છે.
સુશાંત મારા સપનામાં આવ્યો હતો : રિયા
સુશાંતે મને કહ્યું જઈને બધાને કહી દે કે સત્ય શું છે : રિયા
સુશાંત અને પિતાના સંબંધ બાળપણથી સારા ન હતા : રિયા
રિયાએ તોડ્યું મૌન
સુશાંત રાજપૂતની મોત બાદ ઘણા બધા વિવાદ થઇ રહ્યા છે. શરૂઆતમાં જે કેસ આપઘાતનો લાગી રહ્યો હતો તે જ કેસમાં હવે હવે રહસ્ય વધી રહ્યું છે અને ઘણા બધા એક્શન લેવામાં આવી રહ્યા છે. આ આખા વિવાદમાં રિયા ચક્રવર્તીનું નામ સૌથી વધારે ઉછળી રહ્યું છે. રિયા પર જ બધાની નજર છે કે EDએ તેની પૂછપરછ કરી છે તથા CBI પણ રિયાને શંક્જામાં લે તેવી શકયતા છે છતાં રિયા ચક્રવર્તીએ અત્યાર સુધી મૌન ધારણ કર્યું અને કોઈ નિવેદન ન આપ્યું પરંતુ આજના એક ઇન્ટરવ્યુમાં રિયાએ ઘણા બધા સવાલો પર જવાબ આપ્યા અને ખુલાસાઓ કર્યા હતા.
સુશાંતે જ મને મૌન તોડવા કહ્યું : રિયા
આટલા દિવસથી મૌન સાધનાર રિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારું મૌન તોડવા માટે આજનો જ દિવસ કેમ નક્કી કરવામાં આવ્યો ત્યારે રિયાએ કહ્યું કે સુશાંતે જણાવ્યું મને. સુશાંત મારા સપનામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે સત્ય બોલો. જઈને બધાને કહી દે કે આપણા સંબંધ શું હતા અને શું છે.
સુશાંત ડ્રગ્સ લેતો હતો : રિયા
જ્યારે રિયાને સુશાંત ડ્રગ્સ લેતો હતો કે નહીં તે વિશે પૂછવામાં આવ્યું તો તેણે મોટો ઘટસ્ફોટ કર્યો હતો અને કહ્યું હતું કે હા સુશાંત ડ્રગ્સ લેતો હતો. તે મેરિઉઆના લેતો હતો અને મને મળ્યો તે પહેલાંથી લેતો હતો. રિયાએ કહ્યું હતું કે આ એક વસ્તુ તેની હતી જેને હું કંટ્રોલ કરવા માંગતી હતી. મેં તેને ઘણી વખતે કહ્યું હતું કે આ ઓછું કરે પરંતુ સુશાંત એવો વ્યક્તિ હતો કે જે તેના મનમાં આવે તે કરીને જ રહેતો હતો.
મીડિયા ટ્રાયલ ચાલી રહ્યા હોવાનો આરોપ
રિયાએ મીડિયા પર જ આરોપ લગાવતા કહ્યું કે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યા છે અને કોઈને પ્રેમ કરવોએ ગુનો બની ગયો છે. રિયાએ કહ્યું કે મને ક્યારેય વિશ્વાસ પણ નથી થતો કે આ મારી જિંદગી છે. મારા સપના એટલા જ છે કે જ્યાં હું એક શ્વાસ લઇ શકું. પહેલા મારા પરિવાર પછી મને અને મારા સ્પિરિટને તોડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
સુશાંતે જ મને ઘરેથી જતા રહેવા કહ્યું હતું : રિયા
રિયા ચક્રવર્તીએ કહ્યું સુશાંતના પરિવારથી મને ક્યારેય લાગણી ન હતી અને સુશાંતના સંબંધો તેના પિતા સાથે બાળપણથી જ સારા ન હતા. સુશાંતને મળીને જ હું ખુદને મળી શકી અને અમારી મિત્રતા જ સંબંધનો આધાર હતો. રિયાએ કહ્યું કે સુશાંતે જ મને ઘરેથી જતા રહેવા કહ્યું હતું અને તેનાથી હું ખૂબ તૂટી ગઈ હતી.
કંગના પર ઉઠાવ્યા સવાલ
સુશાંત સિંહ કેસમાં કંગના ખૂબ એક્ટિવ છે ત્યારે રિયાએ કંગનાના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમે કંગના પર સવાલ ઉઠાવ્યા કે સિસ્ટમેટિક બ્રેકડાઉન સુશાંત સાથે થયો પછી મારા શું થયું ? આ જ ઈન્ટરવ્યુમાં રિયાએ કહ્યું કે સુશાંતને ડિપ્રેશન ખૂબ મોટો પડકાર હતો. તેમને ખુદ પેનિક અટેક આવતા હતા અને તે પોતે મનોચિકિત્સકને બતાવી રહી હતી. એવામાં રિયાએ કંગના પર સવાલ ઉભા કરતા કહ્યું કે હવે તેમની પરિસ્થિતિને શું કહેવામાં આવશે. રિયાએ કહ્યું કે સુશાંતને ડિપ્રેશન હતું પણ હેલ્થમાં ખૂબ ઉતાર-ચડાવ આવતા હતા. લોકડાઉનમાં તે ઉદાસ થઇ જતા તો ક્યારેક ખુશ.
નાણાંકીય ગોલમાલ પર આપ્યો જવાબ
નોંધનીય છે કે રિયા પર આરોપ લાગ્યા છે કે તેમણે સુશાંત પૈસાની ગોલમાલ કરી છે ત્યારે રિયાએ જવાબ આપ્યો કે આ જ તો હું પૂછી રહી છું કે 17 કરોડ રૂપિયા ક્યા છે જે મારા એકાઉન્ટમાં દેખાવા જોઈએ. મારા પર મુંબઈ પોલીસે તપાસ કરી, EDએ તપાસ કરી હવે CBI પણ કરશે.હું બધામાં સહકાર આપીશ. હવે સુશાંતની બેંક સ્ટેટમેન્ટ જાહેર થઇ ગઈ છે જે મારા પાસે પણ ન હતી. અને જો સુશાંત તેમના પિતાને મળ્યા જ નથી તો તેમને ખબર કઈ રીતે પડી કે સુશાંત એકાઉન્ટમાં 17 કરોડ રૂપિયા આવ્યા કે ગયા.